Tuesday, October 14, 2025

સંગઠન અને સરકારનો અનુભવ ધરાવતા જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન મળી

Share

અમદાવાદ : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો છે. જ્યાં પદગ્રહણ સમારોહ પહેલા જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસ સ્થાનથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રેલી યોજી હતી. જેમાં ધારાસભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ટેકેદારો પણ જોડાયા હતા. કમલમમાં વિશ્વકર્માની સત્તાવાર રીતે જાહેરાત થઈ છે અને પદગ્રહણ સમારોહ યોજાયો છે.આ પ્રસંગે ભાજપના અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી ગુજરાત સમગ્ર દેશમાં શ્રેષ્ઠ છે. ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તામાં છે. પ્રદેશ પ્રમુખ માટે માત્ર એક જ ફોર્મ મળ્યું હતું. તેથી, જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જગદીશ વિશ્વકર્માને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મુખ્યમંત્રીએ વિશ્વકર્માને પ્રમુખ પદ માટે નાળિયેર અને ખાંડ ભેટમાં આપી.

ગુજરાત ભાજપના 14મા પ્રમુખ તરીકે આજે જગદીશ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. અન્ય કોઈએ ઉમેદવારીપત્ર ભર્યું નથી, જેના કારણે તેમનું બિનહરીફ ચૂંટાઈ આવવાનું નિશ્ચિત હતું. આ અંગેની સત્તાવાર જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં કરવામાં આવી હતી.

જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમુદાયના છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે.1973 માં જન્મેલા જગદીશ વિશ્વકર્મા વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે. તેમણે બી.એ. પૂર્ણ કર્યું છે, ત્યારબાદ માર્કેટિંગ મેનેજમેન્ટમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં સહકાર મંત્રી છે.

જગદીશ વિશ્વકર્મા 1995થી સક્રિય પાર્ટી કાર્યકર છે. 2010 માં તેઓ અમદાવાદ શહેર ભાજપના ઓબીસી મોરચાના મંત્રી બન્યા હતા. 2012માં તેમણે પહેલીવાર નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને 49000 મતોથી જીત મેળવી હતી અને ધારાસભ્ય બન્યા હતા. 2013 માં તેઓ અમદાવાદ શહેર ભાજપના ઉદ્યોગ સેલના કન્વીનર બન્યા હતા.

2016 માં તેમણે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું પદ સંભાળ્યું હતું. 2017 માં તેઓ બીજી વખત નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. જગદીશ વિશ્વકર્મા 2021 થી ગુજરાત સરકારમાં સહકાર રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. 2022 માં તેઓ સતત ત્રીજી વખત નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...