Sunday, April 26, 2026

સંગઠન અને સરકારનો અનુભવ ધરાવતા જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન મળી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો છે. જ્યાં પદગ્રહણ સમારોહ પહેલા જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસ સ્થાનથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રેલી યોજી હતી. જેમાં ધારાસભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ટેકેદારો પણ જોડાયા હતા. કમલમમાં વિશ્વકર્માની સત્તાવાર રીતે જાહેરાત થઈ છે અને પદગ્રહણ સમારોહ યોજાયો છે.આ પ્રસંગે ભાજપના અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી ગુજરાત સમગ્ર દેશમાં શ્રેષ્ઠ છે. ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તામાં છે. પ્રદેશ પ્રમુખ માટે માત્ર એક જ ફોર્મ મળ્યું હતું. તેથી, જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જગદીશ વિશ્વકર્માને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મુખ્યમંત્રીએ વિશ્વકર્માને પ્રમુખ પદ માટે નાળિયેર અને ખાંડ ભેટમાં આપી.

ગુજરાત ભાજપના 14મા પ્રમુખ તરીકે આજે જગદીશ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. અન્ય કોઈએ ઉમેદવારીપત્ર ભર્યું નથી, જેના કારણે તેમનું બિનહરીફ ચૂંટાઈ આવવાનું નિશ્ચિત હતું. આ અંગેની સત્તાવાર જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં કરવામાં આવી હતી.

જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમુદાયના છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે.1973 માં જન્મેલા જગદીશ વિશ્વકર્મા વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે. તેમણે બી.એ. પૂર્ણ કર્યું છે, ત્યારબાદ માર્કેટિંગ મેનેજમેન્ટમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં સહકાર મંત્રી છે.

જગદીશ વિશ્વકર્મા 1995થી સક્રિય પાર્ટી કાર્યકર છે. 2010 માં તેઓ અમદાવાદ શહેર ભાજપના ઓબીસી મોરચાના મંત્રી બન્યા હતા. 2012માં તેમણે પહેલીવાર નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને 49000 મતોથી જીત મેળવી હતી અને ધારાસભ્ય બન્યા હતા. 2013 માં તેઓ અમદાવાદ શહેર ભાજપના ઉદ્યોગ સેલના કન્વીનર બન્યા હતા.

2016 માં તેમણે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું પદ સંભાળ્યું હતું. 2017 માં તેઓ બીજી વખત નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. જગદીશ વિશ્વકર્મા 2021 થી ગુજરાત સરકારમાં સહકાર રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. 2022 માં તેઓ સતત ત્રીજી વખત નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...