Wednesday, January 21, 2026

અમદાવાદની આ જાણીતી હોસ્પિટલમાં આગ કાબૂમાં, લોન્ડ્રી વિભાગ બળીને ખાખ, જાણો અપડેટ

spot_img
Share

અમદાવાદ : શહેરની પ્રસિદ્ધ એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સમયસૂચક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ કયા કારણસર આગ લાગી એનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. લોન્ડ્રી વિભાગ હોસ્પિટલ બિલ્ડિંગના બાજુના ભાગે આવેલો છે, જેથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ કરતાં જે ઈલેક્ટ્રિક ડક્ટ પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આગના પગલે 30 મિનિટ સુધી હોસ્પિટલનાં બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે, જોકે ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરીને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છેહાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને આગ માત્ર લોન્ડ્રી વિભાગ સુધી મર્યાદિત રહી, તેથી હોસ્પિટલની અન્ય સેવા પર કોઇ અસર ન થઈ. આગળની તપાસ માટે એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ વિભાગની ટીમ સ્થળ પર તપાસ હાથ ધરી છે.

આ અગાઉ રવિવારે પાલડીની વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે બપોરે શોર્ટસર્કિટથી આગ લાગી હતી. હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં આવેલા મીટરમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી, જોકે રવિવારની રજા હોવાથી કન્સલ્ટિંગ રૂમ બંધ હતો, જેથી જાનહાનિ ટળી હતી. બીજી તરફ હોસ્પિટલના બીજા માળે આવેલા વોર્ડમાં દાખલ 10 બાળકને સ્ટાફે તાત્કાલિક નજીકની એપલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં.

 

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...