Tuesday, October 14, 2025

અમદાવાદની આ જાણીતી હોસ્પિટલમાં આગ કાબૂમાં, લોન્ડ્રી વિભાગ બળીને ખાખ, જાણો અપડેટ

Share

અમદાવાદ : શહેરની પ્રસિદ્ધ એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સમયસૂચક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ કયા કારણસર આગ લાગી એનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. લોન્ડ્રી વિભાગ હોસ્પિટલ બિલ્ડિંગના બાજુના ભાગે આવેલો છે, જેથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ કરતાં જે ઈલેક્ટ્રિક ડક્ટ પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આગના પગલે 30 મિનિટ સુધી હોસ્પિટલનાં બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે, જોકે ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરીને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છેહાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને આગ માત્ર લોન્ડ્રી વિભાગ સુધી મર્યાદિત રહી, તેથી હોસ્પિટલની અન્ય સેવા પર કોઇ અસર ન થઈ. આગળની તપાસ માટે એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ વિભાગની ટીમ સ્થળ પર તપાસ હાથ ધરી છે.

આ અગાઉ રવિવારે પાલડીની વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે બપોરે શોર્ટસર્કિટથી આગ લાગી હતી. હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં આવેલા મીટરમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી, જોકે રવિવારની રજા હોવાથી કન્સલ્ટિંગ રૂમ બંધ હતો, જેથી જાનહાનિ ટળી હતી. બીજી તરફ હોસ્પિટલના બીજા માળે આવેલા વોર્ડમાં દાખલ 10 બાળકને સ્ટાફે તાત્કાલિક નજીકની એપલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં.

 

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...