Sunday, January 25, 2026

અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં કરી તોડફોડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના માધુપુરા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. માધુપુરા વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે 4 કારોને ટક્કર મારી હતી.અકસ્માત સર્જનાર કારચાલક ધવલ પટેલ સામે એલ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના માધુપુરા પાસે ગઈકાલે રાતના સમયે i10 કારના ચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો. કારે અકસ્માત દરમિયાન બે-ત્રણ વાહનને ઠોકી હતી, જોકે અકસ્માતમાં કોઈપણને ઇજા પહોંચી નહોતી, પરંતુ અકસ્માત થતા લોકો કારચાલક સામે રોષે ભરાયા હતા. લોકોના ટોળાથી બચવા કારચાલક કાર લઈને સફલ 6 બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. એ બાદ લોકોનું ટોળું કારચાલકની પાછળ પાછળ દોડ્યું હતું. લોકોના ટોળાએ કારચાલકને બિલ્ડિંગમાં રોકીને કારને ચારે તરફથી ઘેરીને કાર પર લાકડીઓ વરસાવી હતી. લોકોએ કારમાં ખૂબ જ તોડફોડ કરી હતી. એ બાદ માધુપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસને જાણ થતાં તે સ્થળ પર પહોંચી હતી.કોઈ ફરિયાદી કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા નથી. કારચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પોલીસે નવા વાડજમાં રહેતા ધવલ પટેલ નામના કારચાલકનો કબજો મેળવીને કાર જપ્ત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...