Monday, October 13, 2025

નિર્ણયનગરની આ સ્કૂલને DEOની નોટિસ, શાળા સંકુલમાં સાધ્વીઓના રહેણાંકનો મામલો

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી આત્મિય વિદ્યા નિકેતન શાળા વિવાદમાં આવી છે. શાળા સંકુલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય રહેણાંક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કારણે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. શૈક્ષણિક સંકુલના નિયમોના ભંગ બદલ આ પગલું લેવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ નિર્ણયનગર વિસ્તારમાં આવેલી આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલમાં તપાસ માટે પહોંચી હતી. જે દરમિયાન તપાસમાં સ્કૂલમાં એક હોલમાં ઉપયોગ આ મહિલા સાધ્વીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.શૈક્ષણિક નિયમો અનુસાર, શાળા અથવા વિદ્યા સંકુલમાં કોઈપણ પ્રકારનું કાયમી રહેણાંક હોવું જોઈએ નહીં, કારણ કે તેનાથી શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની સંભાવના રહે છે.

DEOની નોટિસમાં શાળા સંચાલકોને ત્વરિત પગલાં લેવા અને આ રહેણાંક પ્રવૃત્તિ બંધ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સંચાલકોને તાત્કાલિક ધોરણે મહિલા સાધ્વીઓને સંકુલમાંથી અન્ય જગ્યાએ ખસેડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો શાળા સંચાલકો દ્વારા આ સૂચનાનું ઝડપથી પાલન કરવામાં નહીં આવે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી સહિતના કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ નોટિસના કારણે શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.

આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સાધ્વીઓની રહેવાની વ્યવસ્થા કરવામાં આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. કારણ કે નિયમ પ્રમાણે જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય કોઈ પ્રવૃત્તિ ન ચલાવી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...