Tuesday, January 20, 2026

નિર્ણયનગરની આ સ્કૂલને DEOની નોટિસ, શાળા સંકુલમાં સાધ્વીઓના રહેણાંકનો મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી આત્મિય વિદ્યા નિકેતન શાળા વિવાદમાં આવી છે. શાળા સંકુલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય રહેણાંક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કારણે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. શૈક્ષણિક સંકુલના નિયમોના ભંગ બદલ આ પગલું લેવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ નિર્ણયનગર વિસ્તારમાં આવેલી આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલમાં તપાસ માટે પહોંચી હતી. જે દરમિયાન તપાસમાં સ્કૂલમાં એક હોલમાં ઉપયોગ આ મહિલા સાધ્વીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.શૈક્ષણિક નિયમો અનુસાર, શાળા અથવા વિદ્યા સંકુલમાં કોઈપણ પ્રકારનું કાયમી રહેણાંક હોવું જોઈએ નહીં, કારણ કે તેનાથી શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની સંભાવના રહે છે.

DEOની નોટિસમાં શાળા સંચાલકોને ત્વરિત પગલાં લેવા અને આ રહેણાંક પ્રવૃત્તિ બંધ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સંચાલકોને તાત્કાલિક ધોરણે મહિલા સાધ્વીઓને સંકુલમાંથી અન્ય જગ્યાએ ખસેડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો શાળા સંચાલકો દ્વારા આ સૂચનાનું ઝડપથી પાલન કરવામાં નહીં આવે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી સહિતના કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ નોટિસના કારણે શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.

આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સાધ્વીઓની રહેવાની વ્યવસ્થા કરવામાં આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. કારણ કે નિયમ પ્રમાણે જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય કોઈ પ્રવૃત્તિ ન ચલાવી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...