Wednesday, March 11, 2026

અમદાવાદમાં એક કરોડથી વધુની બિનહિસાબી રોકડ સાથે આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવાળીના તહેવાર નિમિત્તે હવાલા અને બિનહિસાબી નાણાંની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ પોલીસે કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન દરમિયાન રામોલ પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસની તપાસ દરમિયાન યુપીના સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહની પાસેથી એક કરોડ બે લાખની રોકડ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રામોલ પોલીસ રામોલમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્ષ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી.દરમિયાન વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉતરેલા શંકાસ્પદ શખ્સ સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહની તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી બિનહિસાબી રૂ.1,02,00,000 મળી આવ્યા હતા.જે બાદ પોલીસે આરોપી પાસેથી રોકડ રકમના આધાર પુરાવા માંગતા એક કરોડ બે લાખ રૂપિયાનો કોઈ હિસાબ મળી આવ્યો નહતો. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહ નામ હોવાનું અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

તેની પાસે આ રોકડ રકમના પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા તે આપી શક્યો ન હતો. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે રામોલ પોલીસે તુરંત જ આવકવેરા વિભાગને જાણ કરી હતી, જે હવે આ રોકડ રકમ અને તેના મૂળ સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરશે. તપાસમાં આરોપી મુળ ઉત્તેરપ્રદેશનો રહેવાસી અને અમદાવાદમાં મોટેરામાં આશારામ આશ્રમમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામોલ પોલીસે તાજેતરમાં જ CTM એક્સપ્રેસ હાઇવે પરથી આ પ્રકારની બિનહિસાબી રોકડ જપ્ત કરવાની બીજી મોટી કાર્યવાહી કરી છે. અગાઉ પણ પોલીસે આજ વિસ્તારમાંથી ₹ 50 લાખની રોકડ રકમ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...