Sunday, January 18, 2026

અમદાવાદમાં પતિની સારવાર માટે શિક્ષિકા ચોર બનવા મજબૂર, વિદ્યાર્થીના ઘરમાં કરી ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં પતિની સારવાર માટે એક શિક્ષિકા ચોર બનવા મજબૂર બનતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીના ઘરમાંથી 10 તોલા સોનુ અને રોકડની ચોરી કરી હતી. ચોરી થતા શિક્ષિકાનો ભાંડો ફૂટ્યો છે. તેમજ રામોલ પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના રામોલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ નામના ફ્લેટમાં 10 તોલા સોનાના દાગીના અને રોકડ ચોરીનો બનાવ બન્યો હતો. દિવાળીના તહેવારમાં થયેલી ચોરીની ઘટનાના પગલે રામોલ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. આ મકાન 10 દિવસથી બંધ હતું. જેથી પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપી શિક્ષિકા સંગીતા નાયડુ ભોગ બનનારના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હોવાનું CCTV માં કેદ થયું હતું. જેથી શકાના આધારે પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. રામોલ પોલીસે મહિલાના ઘરમાંથી ચોરીના સોનાના દાગીના અને રોકડ સહિત રૂ 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન આરોપી મહિલા ભોગ બનનારના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હોવાનું CCTV માં કેદ થયું હતું. જેથી શંકાના આધારે પોલીસે મહિલાની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. રામોલ પોલીસે મહિલાના ઘરમાંથી ચોરીના સોનાના દાગીના અને રોકડ સહિત રૂ 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...