Friday, January 23, 2026

અમદાવાદમાં વરસતા વરસાદ વચ્ચે પચરંગી સાફા સાથે મંત્રી દર્શનાબેને વાજતે-ગાજતે ચાર્જ સંભાળ્યો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ પોતાના મંત્રી પદ તરીકેનો હોદ્દો અને કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી દીધી છે. રવિવારે લાભ પાંચમના શુભ દિવસે કેટલાક મંત્રીઓ એ કાર્યાલયની પૂજા કરી હતી. મંત્રી દર્શનાબેન વાઘેલાએ પચરંગી કલરનો સાફો પહેરી સનરૂફ હેરિયરમાં શાહીબાગ વિસ્તારમાં ફરી ગાંધીનગર જવા માટે રવાના થયાં હતા. આ દરમિયાન તેમની સાથે ડીજે સાથે 50 ગાડીઓના કાફલો પણ નીકળ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, સવારે 10 વાગ્યે જન સંપર્ક કાર્યાલય પર મોટી સંખ્યામાં અસારવા વિધાનસભાના કાર્યકર્તાઓ મંત્રીને શુભેચ્છા પાઠવવા માટે અને તેમની સાથે રેલી સ્વરૂપે જવા માટે પહોંચ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ ગાંધીનગર ખાતે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ જનસંપર્ક કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.ત્યાર બાદ ત્યાંથી શાહીબાગ વિસ્તારમાં આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. પુષ્પાંજલિ કર્યા બાદ તેઓ જન સંપર્ક કાર્યાલયથી ગાંધીનગર જવા રવાના થયા હતા.દર્શના વાઘેલાએ અમદાવાદમાં વરસાદમાં સાફા સાથે રેલી યોજી હતી.આ દરમિયાન તેઓ સનરૂફ વાળી હેરિયરમાં જોવા મળ્યા હતા.

કારના કાફલા સાથે વટ પાડી દીધો અસારવા વિધાનસભામાં છેલ્લા ચાર ટર્મ થી જે ધારાસભ્ય બને છે તેને મંત્રી પદ મળે છે, ત્યારે જોરદાર વટ પડી જાય તેવી રીતે મોટા રેલીના કાફલા સ્વરૂપે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને સતત ચાલુ વરસાદની વચ્ચે પણ તેઓ સનરૂફ વાળી ગાડીમાં બેઠા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...