Saturday, September 19, 2026

અમદાવાદના આ ધારાસભ્યએ એવું કેમ કહેવું પડ્યું ? ‘તમે કંઈ કરોડપતિ છો કે આયુષ્યમાન કઢાવતા નથી?’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લાભપાંચમથી ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્નેહમિલન સમારોહનું યોજાઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં એલિસબ્રિજના વિધાનસભાના આયોજિત સ્નેહમિલન સમારોહમાં અમદાવાદના શહેરીજનોને ટકોર કરતાં ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, ગરીબ વસ્તીમાં વસતા લોકો કરતા સોસાયટીમાં રહેતા લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવવામાં નીરસતા દાખવી રહ્યા છે. કેમકે સોસાયટીના લોકો જ્યારે જરૂર પડે છે ત્યારે આયુષ્યમાન કઢાવવા માટે દોડધામ કરે છે, અથવા તો હોસ્પિટલમાં દાખલ થવાનું હોય ત્યારે મારી પાસે કાર્ડ કઢાવવા માટે આવે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં એલિસબ્રિજના વિધાનસભાના વાસણા વોર્ડ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય અમિત શાહે શહેરીજનોને ટકોર કરતાં કહ્યું કે, તમે કંઈ કરોડપતિ છો કે આયુષ્યમાન કઢાવતા નથી? જ્યારે બીમારી આવે છે ત્યારે કેમ દોડો છો? શું બીમારી પહેલા સજાગ બનીને આયુષ્યમાન કઢાવતા હોય? આવું એટલા માટે કહેવું પડે છે કે ગરીબ વસ્તીના લોકો પાસે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેશે. પરંતુ જ્યારે સોસાયટીમાં ભણેલા લોકો જરૂર પડે ત્યારે જ દોડધામ કરે છે. આમ આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ માટે ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી.અમદાવાદમાં ઘણા બધા નાગરિકોએ આ આયુષ્યમાન કઢાવ્યું નથી, જે અંગે લોકોની નીરસતા જોઈ ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે દુઃખ વ્યક્ત કરીને આયુષ્યમાન યોજના લાભાર્થી લાભ માટે આગળ આવે તે માટેની ટકોર કરી છે. આમ એક ધારાસભ્ય દ્વારા શહેરીજનોની એક પ્રકારે ચિંતા કરવામાં આવી છે.

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન અંગે આયુષ્યમાન ભારત યોજના કાર્યરત છે. આ આયુષ્યમાન ભારત યોજનાનું સંચાલન કરીને દેશવાસીઓને નેશનલ હેલ્થ યોજના પૂરી પાડે છે. આ આયુષ્યમાન ભારત યોજનામાં દેશના નાગરિકો માટે પાંચ લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ પૂરું પાડે છે. જોકે જે લોકો પાસે આ આયુષ્યમાન કાર્ડ હોય તે વ્યક્તિ જ નિ:શુલ્ક મોંઘી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે, છતાં પણ આ યોજનામાં અમદાવાદ શહેરમાં સ્થાનિકોની નીરસતા અંગે ભાજપના ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...