Saturday, April 25, 2026

અમદાવાદના આ ધારાસભ્યએ એવું કેમ કહેવું પડ્યું ? ‘તમે કંઈ કરોડપતિ છો કે આયુષ્યમાન કઢાવતા નથી?’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લાભપાંચમથી ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્નેહમિલન સમારોહનું યોજાઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં એલિસબ્રિજના વિધાનસભાના આયોજિત સ્નેહમિલન સમારોહમાં અમદાવાદના શહેરીજનોને ટકોર કરતાં ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, ગરીબ વસ્તીમાં વસતા લોકો કરતા સોસાયટીમાં રહેતા લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવવામાં નીરસતા દાખવી રહ્યા છે. કેમકે સોસાયટીના લોકો જ્યારે જરૂર પડે છે ત્યારે આયુષ્યમાન કઢાવવા માટે દોડધામ કરે છે, અથવા તો હોસ્પિટલમાં દાખલ થવાનું હોય ત્યારે મારી પાસે કાર્ડ કઢાવવા માટે આવે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં એલિસબ્રિજના વિધાનસભાના વાસણા વોર્ડ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય અમિત શાહે શહેરીજનોને ટકોર કરતાં કહ્યું કે, તમે કંઈ કરોડપતિ છો કે આયુષ્યમાન કઢાવતા નથી? જ્યારે બીમારી આવે છે ત્યારે કેમ દોડો છો? શું બીમારી પહેલા સજાગ બનીને આયુષ્યમાન કઢાવતા હોય? આવું એટલા માટે કહેવું પડે છે કે ગરીબ વસ્તીના લોકો પાસે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેશે. પરંતુ જ્યારે સોસાયટીમાં ભણેલા લોકો જરૂર પડે ત્યારે જ દોડધામ કરે છે. આમ આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ માટે ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી.અમદાવાદમાં ઘણા બધા નાગરિકોએ આ આયુષ્યમાન કઢાવ્યું નથી, જે અંગે લોકોની નીરસતા જોઈ ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે દુઃખ વ્યક્ત કરીને આયુષ્યમાન યોજના લાભાર્થી લાભ માટે આગળ આવે તે માટેની ટકોર કરી છે. આમ એક ધારાસભ્ય દ્વારા શહેરીજનોની એક પ્રકારે ચિંતા કરવામાં આવી છે.

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન અંગે આયુષ્યમાન ભારત યોજના કાર્યરત છે. આ આયુષ્યમાન ભારત યોજનાનું સંચાલન કરીને દેશવાસીઓને નેશનલ હેલ્થ યોજના પૂરી પાડે છે. આ આયુષ્યમાન ભારત યોજનામાં દેશના નાગરિકો માટે પાંચ લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ પૂરું પાડે છે. જોકે જે લોકો પાસે આ આયુષ્યમાન કાર્ડ હોય તે વ્યક્તિ જ નિ:શુલ્ક મોંઘી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે, છતાં પણ આ યોજનામાં અમદાવાદ શહેરમાં સ્થાનિકોની નીરસતા અંગે ભાજપના ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...