Monday, January 19, 2026

નારણપુરા બાદ આ વિસ્તારમાં પણ ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર હવે ઓલિમ્પિક સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરના નારણપુરા બાદ પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર 44,764 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આગામી ડિસેમ્બર માસમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવાયેલ પૂર્વ અમદાવાદને ડિસેમ્બર સુધીમાં મળશે રૂ. 51 કરોડના ખર્ચે તૈયાર થયેલું ‘વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, 2021માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોકાર્પણ કરાશે.આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર ઇન્ડોર ગેમ્સ જ નહીં પરંતુ આઉટડોર ગેમ્સ, લાઇબ્રેરી, જિમ અને કાફેટેરિયા સહિતની સુવિધાઓ છે. બે માળના આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, લાઇબ્રેરી, જીમ કાફેટેરિયા જેવી સુવિધાઓ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 51 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ચલાવવા માટે આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. જે બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જેટલી પણ રમતો રમી શકાશે તેની કોચિંગની સુવિધા સાથેની ફીના દર પણ નક્કી કરવામાં આવશે.શહેરના રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ આપતું આ અદ્યતન કોમ્પલેક્સ પૂર્વ ભાગને નવી ઓળખ પણ આપશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...