Thursday, January 22, 2026

GHBના મકાન અપાવવાની લાલચ આપી બંટી-બબલીએ અનેક લોકો સાથે લાખોની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોતાની માલિકીનું ઘર હોય તેવા સ્વપ્ન દરેક શહેરીજન જોવે છે, પરંતુ આ સપનું પુરુ કરવાનાં ચક્કરમાં અનેક લોકો ઠગાઈનો શિકાર બને છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અનેક લોકોને GHBના સરકારી મકાન અપાવવાની લાલચ આપી ઠગ દંપતીએ લાખો રૂપિયા પડાવ્યા અને બાદમાં ફરાર થઈ ગયા, જોકે આ કેસમાં પોલીસે બંટી બબલીની ધરપકડ કરી છે, બંટી બબલીએ કુલ 10 જેટલા લોકો પાસેથી 21.80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેથી વેજલપુર પોલીસે ફરિયાદના આધારે ઠગ દંપતિ અનવર અને શાહીનબાનુંની ધરપકડ કરી છે. તેમજ પોલીસે ઠગ દંપતિના બે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ શાઈનબાનુ સિપાઈ અને અનવર સિપાઈ છે, આ બન્ને પતિ પત્નીએ ભેગા મળીને જુહાપુરામાં અંબર ટાવરની પાછળ નવા બનતા હાઉસિંગ (GHB)ના મકાનો સસ્તામાં અપાવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઈ હતી, જોકે નાસ્તા ફરતા આ બંટી બબલી હવે પોલીસનાં હાથે લાગ્યા છે. આરોપીઓએ ફરિયાદી સહિત કુલ 10 લોકો પાસેથી 21.80 લાખ રૂપિયા મકાન અપાવાના નામે મેળવી લીધા હતા અને બાદમાં ભાગી ગયા હતા. જોકે આ આરોપીઓ સાથે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

આરોપી દંપતીની વેજલપુર પોલીસે ધરપકડ કરીને પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઓળખાણ હોવાનુ કહીને લોકો સાથે ઠગાઈ કરી હતી. અને તેઓને ભરોસો અપાવા માટે રૂપિયા ભર્યાની નકલી પહોંચ આપી હતી. ફરિયાદીને આરોપીઓ પર ભરોસો આવતા બાદમાં અન્ય 9 લોકોએ પણ મકાન લેવા માટે આરોપીઓને 50 હજારથી લઈને 2-3 લાખ રૂપિયાની રકમ આપી હતી. અંતે મકાન ન મળતા ભોગ બનનારા શાઈનબાનુના ઘરે જઇને પૈસા માંગવા જતા ઘરે તાળું જોવા મળ્યું હતું. ફરિયાદીએ જ્યારે શાહીનબાનુંને ફોન કર્યો ત્યારે મકાન અને દુકાન આપવાના બદલે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ શાહીનબાનું અને અનવર સામે ફરિયાદ નોંધી હતી.

આ મામલે વેજલપુર પોલીસે વધુ તપાસ માટે બંટી બબલીને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે, તેવામાં આ આરોપીઓએ ભોગ બનનારાને આપેલી બનાવટી પહોંચ કોની પાસે બનાવડાવી અને હાઉસિંગમાં કે પછી કોર્પોરેશનમાં આરોપીઓનો કોઈ પરિચીત વ્યક્તિ છે કે તેમ તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ફરાર અન્ય બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...