Wednesday, March 4, 2026

GHBના મકાન અપાવવાની લાલચ આપી બંટી-બબલીએ અનેક લોકો સાથે લાખોની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોતાની માલિકીનું ઘર હોય તેવા સ્વપ્ન દરેક શહેરીજન જોવે છે, પરંતુ આ સપનું પુરુ કરવાનાં ચક્કરમાં અનેક લોકો ઠગાઈનો શિકાર બને છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અનેક લોકોને GHBના સરકારી મકાન અપાવવાની લાલચ આપી ઠગ દંપતીએ લાખો રૂપિયા પડાવ્યા અને બાદમાં ફરાર થઈ ગયા, જોકે આ કેસમાં પોલીસે બંટી બબલીની ધરપકડ કરી છે, બંટી બબલીએ કુલ 10 જેટલા લોકો પાસેથી 21.80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેથી વેજલપુર પોલીસે ફરિયાદના આધારે ઠગ દંપતિ અનવર અને શાહીનબાનુંની ધરપકડ કરી છે. તેમજ પોલીસે ઠગ દંપતિના બે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ શાઈનબાનુ સિપાઈ અને અનવર સિપાઈ છે, આ બન્ને પતિ પત્નીએ ભેગા મળીને જુહાપુરામાં અંબર ટાવરની પાછળ નવા બનતા હાઉસિંગ (GHB)ના મકાનો સસ્તામાં અપાવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઈ હતી, જોકે નાસ્તા ફરતા આ બંટી બબલી હવે પોલીસનાં હાથે લાગ્યા છે. આરોપીઓએ ફરિયાદી સહિત કુલ 10 લોકો પાસેથી 21.80 લાખ રૂપિયા મકાન અપાવાના નામે મેળવી લીધા હતા અને બાદમાં ભાગી ગયા હતા. જોકે આ આરોપીઓ સાથે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

આરોપી દંપતીની વેજલપુર પોલીસે ધરપકડ કરીને પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઓળખાણ હોવાનુ કહીને લોકો સાથે ઠગાઈ કરી હતી. અને તેઓને ભરોસો અપાવા માટે રૂપિયા ભર્યાની નકલી પહોંચ આપી હતી. ફરિયાદીને આરોપીઓ પર ભરોસો આવતા બાદમાં અન્ય 9 લોકોએ પણ મકાન લેવા માટે આરોપીઓને 50 હજારથી લઈને 2-3 લાખ રૂપિયાની રકમ આપી હતી. અંતે મકાન ન મળતા ભોગ બનનારા શાઈનબાનુના ઘરે જઇને પૈસા માંગવા જતા ઘરે તાળું જોવા મળ્યું હતું. ફરિયાદીએ જ્યારે શાહીનબાનુંને ફોન કર્યો ત્યારે મકાન અને દુકાન આપવાના બદલે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ શાહીનબાનું અને અનવર સામે ફરિયાદ નોંધી હતી.

આ મામલે વેજલપુર પોલીસે વધુ તપાસ માટે બંટી બબલીને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે, તેવામાં આ આરોપીઓએ ભોગ બનનારાને આપેલી બનાવટી પહોંચ કોની પાસે બનાવડાવી અને હાઉસિંગમાં કે પછી કોર્પોરેશનમાં આરોપીઓનો કોઈ પરિચીત વ્યક્તિ છે કે તેમ તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ફરાર અન્ય બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...