Thursday, November 13, 2025

અમદાવાદમાં વર્ષો જુના સ્લમ ક્વાર્ટર્સની ગેલેરીનો સ્લેબ ધરાશાયી, 3ને ઈજા, 15 લોકોનું ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી છે. જ્યાં જર્જરિત ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થતાં નાસભાગ મચી છે. સંત વિનોબાનગરના બ્લોક નંબર 17ની ઘટના છે. ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતાં બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 10 થી 15 લોકો ક્વાર્ટર્સમાં ઘરમાં ફસાયેલા હોવાના પગલે ફાયરની ટીમ દ્વારા તેઓને ફાયર વિભાગની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વર્ષો જુના જર્જરીત મકાન હતા જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી છતાં પણ નાગરિકો તેમાં રહેતા હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આશરે 40 વર્ષ જુના સંત વિનોબાનગર પાસેના સુખરામનગર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે. જેમાં આજે 13 નવેમ્બરના રોજ સાંજના સમયે બ્લોક નંબર 17ની ગેલેરી ધરાશાયી થઈ હતી.જેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકો દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગેલેરીનો ભાગ તૂટી પડવાના કારણે કેટલાક લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

બ્લોક નંબર 17ના 8 મકાનના આશરે 10થી 15 લોકો ફસાયેલા હતા જેના કારણે તેઓને રેસ્ક્યુ કરવા માટે ફાયરબ્રિગેડની સીડીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. તમામ લોકોને રેસક્યું કરી બહાર કાઢવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ક્વાર્ટર્સમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ તેઓ રહેતા હતાં.

આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શી હર્ષદ પટેલે જણાવ્યું કે, અમરાઈવાડીમાં 40 વર્ષ જૂના ક્વાર્ટ્સની ગેલેરી ધરાશાયી થઈ છે. આ ક્વાર્ટ્સ રિડેવલપમેન્ટમાં ગયા છે, છતાં કેટલાક લોકો અહીં વરસાટ કરી રહ્યા છે. આ દરમિયાન આજે ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે.17 નંબરના બ્લોકનો ગેલેરીનો ભાગ ધડાકા સાથે ધરાશાયી થતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લોકમાં રહેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...