Saturday, March 7, 2026

અમદાવાદીઓ માટે મોટા સમાચાર, આવતીકાલે શહેરના આ વિસ્તારોમાં 15 મિનિટ પાણી ઓછું મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાણી કાપ અંગે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયનો કટ થયો હોવાના કારણે આવતીકાલે 18 નવેમ્બરના રોજ સવારે અંદાજિત 15 મિનિટ જેટલું પાણી ઓછું આપવામાં આવશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, સરખેજ, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ, નવા વાડજ, અખબારનગર, નારણપુરા, સુભાષબ્રિજ, કેશવનગર, સાબરમતી અને ચાંદખેડા તેમજ પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ અને ઓઢવ વિસ્તારમાં પાણીની ઘટ પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કોતરપુર વૉટર વર્કસ ખાતે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સવારે 11.30 વાગ્યાથી પાવર ગયો હતો. પાવર સપ્લાય બંધ થવાના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થયો હતો. પશ્વિમ ઝોનના રાણીપ વોર્ડ સિવાય તમામ વોર્ડ અને ઉત્તર ઝોનના નરોડા વોર્ડ, પૂર્વ ઝોનના નિકોલ અને ઓઢવ વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીમાં ઘટ પડશે. સવારે લોકોને ઓછું પાણી મળશે. જો કે, જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પાણીના બોર છે ત્યાં બોર ચાલુ કરવામાં આવશે જેથી લોકોને પાણીની તકલીફ પડશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...