Thursday, March 5, 2026

AMA ની પ્રસંશનીય પહેલ : અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ માટે વિશાળ CPR તાલીમ યોજાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા તાજેતરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે ના રોજ વિશાળ ડાયાબિટીસ કેમ્પના આયોજન બાદ વધુ એક પહેલ આદરી છે, જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદના સહયોગથી બુધવારે ટર્મિનલ 2 ખાતે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, એરલાઈન કર્મચારીઓ અને સુરક્ષા દળો માટે મોટા પાયે CPR તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટનેશનલ એરપોર્ટ મુસાફરોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગત 19મી એ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ માટે વિશાળ CPR તાલીમ યોજાઈ.જેમાં CISFના કર્મચારીઓ, ખાનગી સુરક્ષા ટીમો, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ અને એરલાઈનના કર્મચારીઓ સહિત સો કરતાં વધુ સહભાગીઓએ હેન્ડ-ઓન ​​ટ્રેનિંગમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ની નિષ્ણાત પ્રશિક્ષકોની એક ટીમ – ડૉ. રસેશ દિવાન, ડૉ. સુનિલ શાહ, ડૉ. સંજય પાંડે, ડૉ. પાર્થ પટેલ, ડૉ. ચાંદની પટેલે લાઇવ ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઉચ્ચ-ગુણવત્તાવાળી CPR તકનીકો, કાર્ડિયાક અરેસ્ટની ઓળખ અને તાત્કાલિક ફર્સ્ટ-રિસ્પોન્સ ક્રિયાઓ દ્વારા સહભાગીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે AMAના પ્રમુખ ડૉ. જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન એરપોર્ટ સ્ટાફને જીવનરક્ષક કૌશલ્યોથી સજ્જ કરવાથી તબીબી કટોકટી દરમિયાન મહત્ત્વનો તફાવત આવી શકે છે. આ પહેલનો હેતુ શહેરના સૌથી વ્યસ્ત જાહેર સ્થળોમાંના એક પર કટોકટી પ્રતિસાદની તૈયારીને મજબૂત કરવાનો છે. AMA માન. સચિવ ડૉ. મૌલિક શેઠે એરપોર્ટ સત્તાવાળાઓનો તેમના સહકાર અને મજબૂત ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તાલીમ સત્રને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સલામતી અને કટોકટીની તત્પરતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...