Tuesday, January 13, 2026

AMA ની પ્રસંશનીય પહેલ : અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ માટે વિશાળ CPR તાલીમ યોજાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા તાજેતરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે ના રોજ વિશાળ ડાયાબિટીસ કેમ્પના આયોજન બાદ વધુ એક પહેલ આદરી છે, જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદના સહયોગથી બુધવારે ટર્મિનલ 2 ખાતે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, એરલાઈન કર્મચારીઓ અને સુરક્ષા દળો માટે મોટા પાયે CPR તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટનેશનલ એરપોર્ટ મુસાફરોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગત 19મી એ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ માટે વિશાળ CPR તાલીમ યોજાઈ.જેમાં CISFના કર્મચારીઓ, ખાનગી સુરક્ષા ટીમો, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ અને એરલાઈનના કર્મચારીઓ સહિત સો કરતાં વધુ સહભાગીઓએ હેન્ડ-ઓન ​​ટ્રેનિંગમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ની નિષ્ણાત પ્રશિક્ષકોની એક ટીમ – ડૉ. રસેશ દિવાન, ડૉ. સુનિલ શાહ, ડૉ. સંજય પાંડે, ડૉ. પાર્થ પટેલ, ડૉ. ચાંદની પટેલે લાઇવ ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઉચ્ચ-ગુણવત્તાવાળી CPR તકનીકો, કાર્ડિયાક અરેસ્ટની ઓળખ અને તાત્કાલિક ફર્સ્ટ-રિસ્પોન્સ ક્રિયાઓ દ્વારા સહભાગીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે AMAના પ્રમુખ ડૉ. જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન એરપોર્ટ સ્ટાફને જીવનરક્ષક કૌશલ્યોથી સજ્જ કરવાથી તબીબી કટોકટી દરમિયાન મહત્ત્વનો તફાવત આવી શકે છે. આ પહેલનો હેતુ શહેરના સૌથી વ્યસ્ત જાહેર સ્થળોમાંના એક પર કટોકટી પ્રતિસાદની તૈયારીને મજબૂત કરવાનો છે. AMA માન. સચિવ ડૉ. મૌલિક શેઠે એરપોર્ટ સત્તાવાળાઓનો તેમના સહકાર અને મજબૂત ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તાલીમ સત્રને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સલામતી અને કટોકટીની તત્પરતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....