Friday, January 23, 2026

અમદાવાદમાં વધુ 15 પ્લોટનું વેચાણ કરી AMC મેળવશે કરોડોની આવક, આંકડો જાણી દંગ રહેશો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 11 કોમર્શીયલ તથા 4 રહેણાંક હેતુ માટેના પ્લોટનુ વેચાણ કરી રુપિયા 1823 કરોડની અંદાજિત આવક મેળવવા સ્ટેન્ડિંગ કમિટીએ તાકીદની દરખાસ્ત મંજુર કરી હતી. આગામી સપ્તાહે 27 અને 28 નવેમ્બરના રોજ કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા કોમર્શીયલ પ્લોટની હરાજી કરાશે. જેના વેચાણ થકી રુપિયા 1200 કરોડની અંદાજિત આવક થવાની સંભાવના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. મ્યુ કોર્પોરેશન કુલ મળીને 28 પ્લોટનું વેચાણ કરી રુપિયા ત્રણ હજાર કરોડ આવક મેળવવા પ્રયાસ કરશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટેરાના બે, ગોતાના ત્રણ ઉપરાંત હેબતપુરના બે તેમજ મકરબાના ત્રણ, બોડકદેવના બે તથા થલતેજના એક પ્લોટનુ વેચાણ કરવા દરખાસ્ત મંજુર કરાઈ હતી. ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, જે પ્લોટનુ વેચાણ થાય એના પ્લાન 90 દિવસમાં મંજુર કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં 17 રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટનુ વેચાણ કરી રુપિયા 1300 કરોડની આવક ઉભી કરવામાં આવી હતી. પ્લોટના વેચાણ માટે જે યાદી નકકી કરાઈ હતી તે પૈકીના દસ પ્લોટ હજુ સુધી વેચાયા નથી. આ વર્ષે પણ શીલજ, આંબલી, મોટેરા, થલતેજ, ગોતા સહિતના પ્લોટ વેચવા કોર્પોરેશને બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...