Sunday, January 25, 2026

અમદાવાદમાં વિદ્યાર્થીને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવક સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા રાખવી એક વિદ્યાર્થીની ભારે પડી છે. યુવકે વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને બાદમાં તેની સાથે ફોટોગ્રાફ્સ પડાવીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. યુવકે વિદ્યાર્થીની પાસેથી ટુકડે ટુકડે કુલ 2.86 લાખ રૂપિયા પડાવી લીધા હતા.આ અંગે વિધાર્થિનીએ યુવક વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ ગીરસોમનાથની અને હાલ અમદાવાદના નવરંગપુરા પાસે રહેતી 21 વર્ષીય હેમાંગી (નામ બદલેલ છે) એ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હેમાંગી હાલ પી.જીમાં રહીને થલતેજમાં આવેલી યુનિવર્સિટીમાં બી.સી.એનો અભ્યાસ કરે છે. 6 મહિના પહેલા હેમાંગીના ઈન્સ્ટાગ્રામ પર કરણ શાહ નામના યુવકે ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા જ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.

કરણ શાહે પોતે સુરતમાં રહેતો હોવાની વાત કરી તેની માતા જૂનાગઢના હોવાનું જણાવ્યું હતું. વધુમાં તે પોતે અદાણી પોર્ટમાં નોકરી કરતો હોવાનું જણાવી એક લાખ 10 હજાર રૂપિયા પગાર છે અને તેને ઈન્ચાર્જ તરીકે પ્રમોશન મળ્યું હોવાથી દિવાળી પછી દુબઈની કંપનીમાં જવાનો છે તેમ કહ્યું હતું.યુવતી તેની વાતોમાં આવી જતા એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. મે મહિનામાં કરણ યુવતીને મળવા માટે અમદાવાદના મોલમાં આવ્યો હતો જે બાદ તેણે લગ્ન કરવાનું પ્રપોઝ મુક્યુ હતું. યુવતીએ લગ્ન કરવા માટેની સહમતી બતાવી હતી.

થોડા દિવસ બાદ કરણનો યુવતી પર ફોન આવ્યો હતો અને તેણે બેંકનું એકાઊન્ટ ફ્રીઝ થઈ ગયુ છે જેથી દસ હજાર રૂપિયાની માગંણી કરી હતી. યુવતીએ દસ હજાર રૂપિયા આપ્યા બાદ કરણે વધુ રૂપિયા માંગવાનું શરૂ કર્યુ હતું. આ બાદ કરણ અમદાવાદ યુવતીને મળવા માટે આવ્યો હતો જ્યા તે બન્ને હોટલમાં મળ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ પાડ્યા હતાં. ફોટોગ્રાફ્સની મદદથી કરણે યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યુ હતું અને રૂપિયાની માગતો રહ્યો હતો.

ઈજ્જત ખરાબ ના થાય તે ડરથી યુવતીએ કરણને રૂપિયા આપવાનું ચાલુ રાખ્યુ હતું. યુવતીએ પોતાના દાગીના ગીરવે મુકીને પણ કરણને રૂપિયા આપ્યા હતા. કરણે યુવતીને રૂપિયા નહી આપે તો આપધાત કરી લઈશ તેવી ધમકીઓ પણ આપી હતી. કરણે યુવતીને વીડિયો કોલ કરીને કપડા કાઢી નાખ્યા હતા અને તેના સ્ક્રીનશોર્ટ પાડી લીધા હતાં. કરણે બ્લેકમેઈલ કરતા યુવતીએ સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવી હતી. જે બાદ યુવતીએ કરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...