Thursday, January 22, 2026

અમદાવાદમાં બનેલી ધર્મધ્વજા રામ મંદિર પર લહેરાઈ ! 200 કિ.મીની ઝડપે પવન ફૂંકાય તો પણ કઈ ના થાય!

spot_img
Share

અમદાવાદ : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના 673 દિવસ બાદ, PM મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો. સવારે 11.50 વાગ્યે અભિજીત મુહૂર્તમાં બટન દબાવીને 161 ફૂટ ઊંચા શિખર પર 2 કિલોગ્રામનો કેસરિયો ધર્મધ્વજ લહેરાવા લાગ્યો છે. ભાગવતે વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો છે. આ સાથે, રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને હાથ જોડીને ધર્મધ્વજને નમન કર્યા હતા.

અયોધ્યામાં રામલલાના અભિષેક પછી, PM મોદીએ રામ મંદિરે ધ્વજ ફરકાવ્યો હતો. શુભ મુહૂર્ત દરમિયાન બટન દબાવવાની સાથે જ 161 ફૂટ ઊંચા શિખર પર 2 કિલોગ્રામનો ભગવો ધ્વજ લહેરાયો હતો. સમગ્ર દેશવાસીઓ માટે ઉત્સાહની ક્ષણ હતી. આ પછી પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સિયાવર રામચંદ્ર કી જય…’ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.’

આ શુભ અવસર પર બપોરે 11 વાગ્યાને 52 મિનિટથી 12 વાગ્યાને 35 મિનિટ સુધીનો અભિજીત મુહૂર્ત કાઢવામાં આવ્યો છે. આ 43 મિનિટનો સમય અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે. સવારથી જ અયોધ્યા રામ-બારાતની ગુંજથી ભરેલી છે. શહેરમાં ઉત્સવનું વાતાવરણ, ભજન-કીર્તન, પુષ્પવર્ષા અને આનંદની લહેરો સતત ફેલાઈ રહી છે.

રામ મંદિરનો કેસરિયો ધ્વજ માત્ર એક કાપડનો ટુકડો નથી, પરંતુ સંપૂર્ણ રામાયણ, સૂર્યવંશની પરંપરા અને અયોધ્યાના સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. 161 ફૂટ ઊંચા મંદિરના શિખર પર સ્થાપિત 30 ફૂટ ઊંચા ધ્વજદંડ પર લહેરાતો આ ધ્વજ લગભગ 4 કિલોમીટર દૂરથી પણ સરળતાથી દેખાય છે. જ્યારે આકાશમાં તે લહેરાય છે, ત્યારે એવું લાગે છે જાણે હજારો વર્ષોનો ઇતિહાસ, પરંપરાઓ અને રામાયણની દિવ્યતા પવનની દરેક લહેર સાથે ગાન કરતી સમગ્ર વાતાવરણમાં ફેલાઈ રહી હોય.

ધ્વજ પર અંકિત ધાર્મિક પ્રતીકો
રામ મંદિરનો ધ્વજ માત્ર એક કાપડનો ટુકડો નથી, પરંતુ સંપૂર્ણ રામાયણ, સૂર્યવંશની પરંપરા અને અયોધ્યાના સાંસ્કૃતિક વારસાનો સાર છે. આ ધ્વજ પર ત્રણ મુખ્ય ધાર્મિક પ્રતીકો અંકિત છે— સૂર્યનું તેજસ્વી ચિહ્ન, તેની વચ્ચે સ્થિત પવિત્ર ‘ॐ’ અને મર્યાદા તથા રામરાજ્યનું સૂચક કોવિદાર વૃક્ષ. આ ત્રણેય પ્રતીકો મળીને સૂર્યવંશની ગૌરવગાથા, આધ્યાત્મિક ઊર્જા અને રામાયણની દિવ્ય પરંપરાનો એવો અદ્ભુત સમન્વય રચે છે જે આ ધ્વજને માત્ર પ્રતીક નહીં, પણ એક જીવંત આધ્યાત્મિક ઓળખ બનાવી દે છે.

ધ્વજની બનાવટ અને મજબૂતી, કોણે બનાવ્યો છે ધ્વજ?
ધ્વજનું નિર્માણ અમદાવાદના કારીગર કશ્યપ મેવાડા અને તેમની ટીમે કર્યું છે. તેને સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સ્વદેશી તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં 25 દિવસ લાગ્યા છે. આ ધ્વજ અત્યંત ખાસ પેરાશૂટ નાયલોન ફેબ્રિકમાંથી બનેલો છે, જે પવનની ગતિ 200 કિમી/કલાક સુધીની હોવા છતાં સુરક્ષિત રહે છે. તેમાં ફાટવાની ક્ષમતા નથી, ન જ તેમાં છિદ્ર થાય છે. તડકો અને વરસાદથી બચાવવા માટે ડબલ કોટેડ સિન્થેટિક લેયર લગાવવામાં આવ્યું છે. આ ધ્વજનું વજન લગભગ 2 થી 3 કિલો છે. કહેવાય છે કે લગભગ 3 વર્ષ સુધી તે ફાટશે નહીં. ધ્વજનું દોરડું પણ વિશેષરૂપે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેનલેસ સ્ટીલ અને સિન્થેટિક ફાઇબરથી બનેલું મજબૂત દોરડું તેને દરેક મોસમમાં સુરક્ષિત રાખે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...