Saturday, March 7, 2026

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વધુ એક મોટો આંચકો, 3 નોટિસનો ન આપ્યો જવાબ, AMC હવે પ્લૉટ પરત લેશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા થયા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈને સર્જાયેલા વિવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા દ્વારા લીઝની શરતોના ભંગ બદલ AMC દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.TP કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને ત્રણવાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરુરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. હવે COPની પ્રોસિજર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે સ્કૂલનો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્કૂલને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી અને 21 નવેમ્બરની અંતિમ ડેડલાઇન અપાઈ હતી. તેમ છતાં, સ્કૂલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ ન કરાતા કે કોઈ જવાબ ન અપાતા, મનપા હવે પ્લોટ પાછો લેશે. મહત્વનું છે કે શાળા પરિસર નજીક એક વિદ્યાર્થીની હત્યાના પગલે સેવન્થ ડે સ્કૂલ ચર્ચામાં આવી હતી અને શાળાની ગેરરીતીઓ પર લોકોની નજર પડી હતી.

25 નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં સેવન્થ ડે સ્કૂલને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. TP કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, સ્કૂલને લીઝની શરતોનો ભંગ કરવા સહિતના વિવિધ મામલે અત્યાર સુધીમાં ત્રણ વાર શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં સ્કૂલના સંચાલકો તરફથી કોઈ સંતોષકારક જવાબ કે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.

સેવન્થ ડે સ્કૂલને AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડે પટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...