Sunday, January 18, 2026

AMTS-BRTSમાં વિધાર્થીઓ હવે ઓનલાઇન પાસ કઢાવી શકશે, આટલી પ્રોસેસ કરવી પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે સમય અને ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને વિદ્યાર્થીઓ માટેના કન્સેશન પાસની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી રહી છે. આ નવીન સેવાનો અમલ આગામી 1લી ડિસેમ્બરથી કરવામાં આવશે.અત્યાર સુધી વિદ્યાર્થીઓને કન્સેશન પાસ મેળવવા માટે AMTSના વિવિધ સેન્ટરો પર રૂબરૂ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે આ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS દ્વારા આ સુવિધા AMCની ‘i-pass’ નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન પર પોતાનું ફોર્મ ડાઉનલોડ કરીને જરૂરી પુરાવાઓ અપલોડ કરી શકશે. OTP સહિતની પ્રક્રિયાની તમામ ખરાઈ થયા બાદ, AMTSના અધિકારી સિસ્ટમમાંથી જ તેને મંજૂરી આપશે. મંજૂરી મળ્યા બાદ વિદ્યાર્થી પોતાનો ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકશે અને મુસાફરી દરમિયાન સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે.આ નવી શરૂઆતથી અંદાજે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.

જોકે, વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા અગાઉની ફિઝિકલ પાસની સુવિધા પણ યથાવત રાખવામાં આવી છે. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના સેંકડો મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો સમય અને શક્તિ બચશે.જો વિદ્યાર્થી AMTS અને BRTS બંનેમાં મુસાફરી કરતો હોય તો બંનેના પાસ કઢાવી શકશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...