Friday, January 16, 2026

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ બન્યો BLO ! બે વર્ષથી સગીરાને લઈ ફરાર આરોપીને ચતુરાઈથી દબોચાયો

spot_img
Share

અમદાવાદ: તાજેતરમાં શરૂ કરવામાં આવેલી SIRની કામગીરીનો ઉપયોગ પોલીસે નાસતા ફરતા આરોપીને પકડવામાં કર્યો છે. બે વર્ષ પહેલા નરોડા વિસ્તારમાંથી એક યુવક સગીરાને લગ્નના ઇરાદે ભગાડીને લઇ ગયો હતો. જે અંગે નરોડા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે પોલીસને શરૂઆતથી આશંકા હતી કે આ જ આરોપી સગીરાને ભગાડીને લઇ ગયો છે. પરંતુ શાતિર આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા પોલીસની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી. જે અંતર્ગત વર્ષ 2023માં નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સગીર દીકરીને ભગાડી જનાર શખ્સની શોધખોળ ચાલી રહી હતી. આ ગુનામાં આરોપી રોહિત ઠાકોર છેલ્લા બે વર્ષથી ફરાર હતો.પોલીસને આરોપી રોહિતના પિતા શનાજી ઠાકોરનો મોબાઈલ નંબર મળ્યો હતો.

એક પોલીસ કોન્સ્ટેબલ પરેશકુમાર રાજુભાઈએ શનાજીને ફોન કરીને જણાવ્યું કે તેઓ કલેક્ટર ઓફિસમાંથી BLO તરીકે બોલી રહ્યા છે અને ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોર્મ ભરવું પડશે. પોલીસકર્મીએ ઘરમાં સભ્યોની સંખ્યા જેવી વિગતો પૂછીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદમાં, તેમને દીકરા રોહિતના લગ્ન વિશે પૂછપરછ કરી અને તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો.આરોપીના પિતાએ તેમના મોબાઈલમાંથી રોહિત ઠાકોરનો નંબર આપી દીધો હતો.

ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ પરેશકુમાર રાજુભાઈએ રોહિતના પિતાનો નંબર મેળવીને પોતે કલેક્ટર ઓફિસથી BLO બોલી રહ્યા હોવાની ઓળખ આપી હતી અને તમારે ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો ફોર્મ ભરવું પડશે, એમ કહીને તેના પરિવારજનોની વિગત માંગી હતી.જેના આધારે તપાસ કરતા મહેસાણાના શોભાસણ ગામની એક સિરામિક કંપનીનું લોકેશન મળી આવ્યું હતું. પોલીસની એક ટીમ મહેસાણા ખાતે મોકલી આપતા રોહિતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

નરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી ગોહિલે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સગીરાને મેડિકલ હોસ્પિટલ મોકલવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...