Tuesday, December 2, 2025

અમદાવાદમાં એક પિતાએ પોતાના પરિવાર સામે પોલીસ સ્ટેશનના ધાબા પરથી પડતું મૂક્યું, કારણ જાણી ચોંકશો

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબેથી કૂદીને એક આધેડે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. દંપતી વચ્ચેના ઝઘડામાં પુત્રએ પિતા સમક્ષ પોલીસ ફરિયાદ નોંધાવતા જેનું માઠું લાગી આવતા આધેડે પોલીસ સ્ટેશનના ધાબેથી કૂદકો માર્યો હતો. જોકે, પોલીસકર્મીઓ દ્વારા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં વેલજીભાઇના કૂવા પાસે રહેતા સુરેશભાઇ બદાણીની શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમની પત્ની સાથે કોઈ પારિવારિક કારણોસર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ તેમના પુત્ર પિયુષભાઇએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. આ પછી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુરેશભાઇ સામે તેમના પત્ની અને બે પુત્રોએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસકર્મીઓ પરિવારના ચારેય સભ્યોને વધુ કાર્યવાહી માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

જ્યાં ફરીથી દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેના કારણે પુત્રએ પિતા સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વાતનું દુ:ખ લાગી આવતા સુરેશભાઈ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પર જઈને ત્યાંથી કૂદી ગયા હતા. ધડાકાભેર અવાજ આવતા પોલીસકર્મીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જ્યાં સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, સારવાર દરમિયાન સુરેશભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...