Wednesday, March 4, 2026

AMCના પાપે નિર્દોષનો ભોગ ! કુબેરનગરમાં ખુલ્લી ગટરને કારણે એક્ટિવા સ્લિપ થતા આધેડનું કરૂણ મોત, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સ્માર્ટ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદમાં શહેરીજનોની સુરક્ષા મોટો પ્રશ્ન બની રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી અને તૂટી પડેલી ડ્રેનેજ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તાજેતરમાં નરોડા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના ફરી એકવાર આ પ્રશ્નને ચરમસીમાએ લઈ ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા A વોર્ડના રોડ પરના ગટરના ઢાંકણાના ખાડાના કારણે આધેડનું મોત થયું છે. રાત્રિ દરમિયાન વાહન લઈને પસાર થતાં ખાડામાં વાહન પડતા તેઓ સ્લીપ થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક નાગરિકો દ્વારા આ ખાડાને રીપેરીંગ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત ફરિયાદ કરી હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું અને એક અઠવાડિયા બાદ ખાડાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ઘટના પછી, કોર્પોરેશનનાં કર્મચારીઓએ તરત તૂટેલી ડ્રેનેજને કોર્ડન કરી દીધી, પરંતુ વિસ્તારના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે મૃત્યુ થયા પછી તંત્ર જાગે છે. જો સમયસર ડ્રેનેજનું કામ થયું હોત તો નિર્દોષ વ્યક્તિનો જીવ બચી શક્યો હોત.આ પહેલી ઘટના નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ડ્રેનેજમાં પડીને અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે અને કેટલાંકનાં મૃત્યુ પણ થયા છે. છતાં તંત્ર દ્વારા સ્થાયી અને ઝડપી કામગીરી કરવામાં આવી રહી નથી, એવી ટીકા થઈ રહી છે.

સ્માર્ટ સિટી બનવાની દોડમાં અમદાવાદ આગળ વધી રહ્યું છે. પરંતુ નાગરિકોની સુરક્ષા જેવી મૂળભૂત જવાબદારી પૂરી કર્યા વગર વિકાસના દાવા અધૂરા જ લાગે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...