Tuesday, January 20, 2026

AMCના પાપે નિર્દોષનો ભોગ ! કુબેરનગરમાં ખુલ્લી ગટરને કારણે એક્ટિવા સ્લિપ થતા આધેડનું કરૂણ મોત, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સ્માર્ટ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદમાં શહેરીજનોની સુરક્ષા મોટો પ્રશ્ન બની રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી અને તૂટી પડેલી ડ્રેનેજ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તાજેતરમાં નરોડા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના ફરી એકવાર આ પ્રશ્નને ચરમસીમાએ લઈ ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા A વોર્ડના રોડ પરના ગટરના ઢાંકણાના ખાડાના કારણે આધેડનું મોત થયું છે. રાત્રિ દરમિયાન વાહન લઈને પસાર થતાં ખાડામાં વાહન પડતા તેઓ સ્લીપ થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક નાગરિકો દ્વારા આ ખાડાને રીપેરીંગ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત ફરિયાદ કરી હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું અને એક અઠવાડિયા બાદ ખાડાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ઘટના પછી, કોર્પોરેશનનાં કર્મચારીઓએ તરત તૂટેલી ડ્રેનેજને કોર્ડન કરી દીધી, પરંતુ વિસ્તારના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે મૃત્યુ થયા પછી તંત્ર જાગે છે. જો સમયસર ડ્રેનેજનું કામ થયું હોત તો નિર્દોષ વ્યક્તિનો જીવ બચી શક્યો હોત.આ પહેલી ઘટના નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ડ્રેનેજમાં પડીને અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે અને કેટલાંકનાં મૃત્યુ પણ થયા છે. છતાં તંત્ર દ્વારા સ્થાયી અને ઝડપી કામગીરી કરવામાં આવી રહી નથી, એવી ટીકા થઈ રહી છે.

સ્માર્ટ સિટી બનવાની દોડમાં અમદાવાદ આગળ વધી રહ્યું છે. પરંતુ નાગરિકોની સુરક્ષા જેવી મૂળભૂત જવાબદારી પૂરી કર્યા વગર વિકાસના દાવા અધૂરા જ લાગે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...