Sunday, January 25, 2026

અમદાવાદનો આ કિસ્સો સાંભળીને તમારું હૃદય કંપી જશે, ખાનગી રિક્ષામાં બાળકોને શાળાએ મોકલનાર વાલીઓ ચેતી જજો

spot_img
Share

અમદાવાદ : જો તમે ખાનગી ઑટો રિક્ષામાં તમારા બાળકોને શાળાએ લેવા અને મુકવા માટે મોકલો છો, તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે અમદાવાદમાં બનેલો એક કિસ્સો સાંભળી, તમારા પગ નીચેથી જમીન સરકી જશે. એક રિક્ષા ચાલક જેને પોતાને પુખ્ત વયના દીકરા અને દીકરી છે, તે 5-7 વર્ષના બાળકોને ગેમ રમાડવાના નામે એવી ગંદી હરકત કરાવતો જે સાંભળી તમારા રૂંવાટા ઊભા થઈ જશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રામોલ પોલીસે પકડેલા રાજકુમાર રાજપૂત નામના 53 વર્ષીય આ શખ્સે માનસિક વિકૃતિની તમામ હદો વટાવી નાખી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં આ આરોપી સામે પોક્સોનો ગુનો નોંધાયો છે. આ નરાધમ રિક્ષાચાલક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવીને અને ગેમ રમાડવાના બહાને પોતાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. એક માતા સુધી આ વાત પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બાળકોએ માતાપિતાને હકીકત જણાવી કે આ નરાધમ પોતાની ઑટો રિક્ષામાં એક થેલી અને રૂમાલ રાખતો હતો, જે થેલીમાં એક કાણું પાડેલું હતું, બાળકોને સ્કૂલેથી લાવતા અને લઈ જતા સમયે જ્યારે પણ સમય મળે તે બાળકોને ગેમ રમાડતો હતો, જે ગેમમાં તે રીક્ષાના સ્ટેરીંગ પર કાણું કરેલી ઠેકી લટકાવી, તેમાં ચોકલેટ અને બોલ નાખી દેતો હતો અને બાળકોને અંદર હાથ નાખી જે સૌથી વધુ ચોકલેટ કાઢશે તેને ઇનામ આપશે તેવી લાલચ આપી પોતાના ગુપ્ત ભાગને ટચ કરાવતો હતો.

અશ્લીલ વિડિઓ બતાવી તે મુજબની હરકત કરવા બાળકોને કરવાનું કહેતો હતો, અને જો કોઈ બાળક આવી ગંદી ગેમ રમવાની ના પાડે તો તેના માતાપિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. આ વિકૃત રિક્ષા ચાલક નાની બાળકીની સાથે બાળકો જોડે પણ આવી ગેમ રમાડતો હતો.આ મામલે ફરિયાદ નોંધાતા રામોલ પોલીસે ફરિયાદીની દિકરી સિવાય અન્ય પણ 4 થી 5 દીકરીઓના નિવેદન લીધા છે, જેમણે પણ આ નરાધમની વિકૃત હરકતો જણાવી છે, આરોપી પોતાની રિક્ષામાં 14 બાળકોને લાવતો લઈ જતો હોવાથી અન્ય બાળકોના નિવેદન લેવાની કાર્યવાહી હજુ પોલીસ કરી રહી છે.

રાજકુમાર રાજપૂતની ધરપકડ કરી છે, આરોપી છેલ્લા 22 વર્ષથી ઑટો રિક્ષા ચલાવે છે અને છેલ્લા 4-5 વર્ષથી નાના અને મોટા બાળકોને સ્કૂલે લાવા લઈ જવાનું કામ કરે છે, તેને પોતાને એક પુખ્ય વયનો દીકરો અને લગ્ન લાયક દીકરી છે. તેવામાં હાલ પોલીસે આરોપીનો મોબાઇલ પણ કબજે કરી તેમાંથી બીભત્સ વીડિયો રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...