Sunday, January 25, 2026

વેપારીઓ સાવધાન ! મહિલા દ્વારા ચોરીની બીજી ઘટના, ગોતાના જ્વેલર્સ શો રૂમમાં દાગીના જોવાના બહાને 6.40 ગ્રામની વીંટી ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વેપારીઓ થઇ જજો સાવધાન, સતત બીજા અઠવાડિયે શોરૂમમાંથી મહિલા દ્વારા ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગોતા વિસ્તારના એક જ્વેલર્સની દુકાન નિશાન બની છે. દાગીના ખરીદવાના બહાને આવેલી 50 વર્ષની એક અજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે સેલ્સમેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સેલ્સમેનની ફરિયાદ મુજબ, ગત તારીખ 28-11-2025ના રોજ બપોરે આશરે 12.45 વાગ્યે ગોતામાં વીર કૃપા જ્વેલર્સ નામની જ્વેલર્સ શોપમાં ચોરીની ઘટના બની હતી. લગભગ 50 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક લગ્નપ્રસંગ માટે સોનાની વીંટીઓ અને બુટ્ટીઓ ખરીદવાના બહાને શોરૂમમાં આવી હતી. શોરૂમના કર્મચારી અશ્વિનભાઈ પ્રજાપતિએ મહિલા ગ્રાહકને અલગ-અલગ ડિઝાઈનવાળી વીંટીઓ અને બુટ્ટીઓ બતાવી હતી. મહિલાએ તેમાંથી પાંચ વીંટી અને એક બુટ્ટી પસંદ કરીને બાજુમાં મુકાવી હતી.આ પસંદગી દરમિયાન જ મહિલાએ નજર ચૂકવીને વીંટીની ચોરી કરી હતી.ચોરી કર્યા બાદ તેણે એટીએમમાંથી પૈસા ઉપાડીને તરત પાછા આવવાનું બહાનું કર્યું હતું અને શોરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. જોકે, તે સ્ત્રી પાછી ફરી નહોતી, અને તેનું રહેઠાણ ક્યાં છે તે અંગેની કોઈ માહિતી શોરૂમના સ્ટાફ પાસે નથી.

સાંજે વિપુલભાઈ જોષી અને સ્ટાફે સ્ટોક ચેક કરવા માટે ઘરેણાંનું સ્ટોક પત્રક તપાસ્યું ત્યારે ચોરીની હકીકત સામે આવી. સ્ટોક ચેક કરતા, 6.440 ગ્રામ વજનની ‘ઓમ’ની ડિઝાઇનવાળી સોનાની એક વીંટી ઓછી જણાતા ચોરી થઈ હોવાનું નિશ્ચિત થયું, જેની કિંમત આશરે રૂપિયા 90,000 છે. આ ઘટનાની જાણ થતાં જ શોરૂમના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખરીદી કરવા આવેલી તે મહિલાએ પસંદ કરેલી બે વીંટીઓ હાથમાં લીધી હતી, જેમાંથી એક વીંટી લઈને તે ચાલાકીપૂર્વક બહાર નીકળી ગઈ હતી.આ અંગે સોલા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આ અગાઉ સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને ચોરી કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે CCTV કેમેરાની મદદથી રીક્ષા ચાલક અને 3 મહિલાની ધરપકડ કરી હતી.આ મહિલાઓએ આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. સોલા પોલીસે આ કેસમાં લેડીઝ ડ્રેસ અને રીક્ષા કબ્જે કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...