Saturday, March 7, 2026

AMCની બેદરકારી : સિંધુભવન રોડ પર કોમનવેલ્થના હોર્ડિંગથી મોપેડ સવાર દંપતી ઘાયલ, અન્ય હોર્ડિંગ્સ પણ જોખમી ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક ફૂટપાથ પર લગાવેલું એક મોટું બેનર ગુરુવારે (4 ડિસેમ્બર) બપોરે અચાનક તૂટી પડતાં એક્ટિવા પર જઈ રહેલા બે લોકોને ઈજા થઈ હતી. તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકો ભોગ બન્યા હતા. આ દરમિયાન મ્યુનિસિપલ ટીમે તકેદારીના ભાગરૂપે તૂટી પડેલું બેનર દૂર કર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઇ કુમાવત તેમના પત્ની મિતાલીબેન કુમાવત બોપલ ખાતે હોસ્પિટલથી પોતાના ઘરે જવા માટે સિંધુભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. સિંધુભવન રોડ પર એસપી રિંગ રોડથી ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા પહેલા કોમનવેલ્થ ગેમ્સને આવકારતું હોર્ડિંગ્સ લગાવવામાં આવેલું હતું, જે અચાનક જ આ દંપતી ઉપર પડ્યું હતું.

આ મામલે ભોગ બનનાર ચંદ્રેશ કુમાવત મુજબ, “Hoarding અચાનક અમારા પર પડ્યા, જેના કારણે હું અને મારી પત્ની બંને નીચે પડી ગયા અને ઘાયલ થયા. અમને બંનેને ઇજાઓ થઈ છે અને અમારા હાથ અને પગમાં ઇજાઓ થઈ છે.” અમારા ઇલેક્ટ્રિક મોપેડને પણ નુકસાન થયું છે. આ બેનર સ્પષ્ટપણે બેદરકારીભર્યા છે. અમે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરીશું. આ ગંભીર બેદરકારી કોઈના જીવનને જોખમમાં મૂકી શકે છે.

બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) પણ આ બેનર કોણે લગાવ્યું હતું. તે માટે જરૂરી મંજૂરી લેવાઈ હતી કે નહીં. તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ઇન્સ્ટોલેશનમાં કોઈ બેદરકારી અથવા નાગરિક માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાશે તો કાર્યવાહી કરાશે.

આ દરમિયાન મ્યુનિસિપલ ટીમે તકેદારીના ભાગરૂપે તૂટી પડેલું બેનર દૂર કર્યું હતું. આ ઘટનાની જવાબદારી નક્કી કરવા પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...