Tuesday, January 20, 2026

AMCની બેદરકારી : સિંધુભવન રોડ પર કોમનવેલ્થના હોર્ડિંગથી મોપેડ સવાર દંપતી ઘાયલ, અન્ય હોર્ડિંગ્સ પણ જોખમી ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક ફૂટપાથ પર લગાવેલું એક મોટું બેનર ગુરુવારે (4 ડિસેમ્બર) બપોરે અચાનક તૂટી પડતાં એક્ટિવા પર જઈ રહેલા બે લોકોને ઈજા થઈ હતી. તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકો ભોગ બન્યા હતા. આ દરમિયાન મ્યુનિસિપલ ટીમે તકેદારીના ભાગરૂપે તૂટી પડેલું બેનર દૂર કર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઇ કુમાવત તેમના પત્ની મિતાલીબેન કુમાવત બોપલ ખાતે હોસ્પિટલથી પોતાના ઘરે જવા માટે સિંધુભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. સિંધુભવન રોડ પર એસપી રિંગ રોડથી ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા પહેલા કોમનવેલ્થ ગેમ્સને આવકારતું હોર્ડિંગ્સ લગાવવામાં આવેલું હતું, જે અચાનક જ આ દંપતી ઉપર પડ્યું હતું.

આ મામલે ભોગ બનનાર ચંદ્રેશ કુમાવત મુજબ, “Hoarding અચાનક અમારા પર પડ્યા, જેના કારણે હું અને મારી પત્ની બંને નીચે પડી ગયા અને ઘાયલ થયા. અમને બંનેને ઇજાઓ થઈ છે અને અમારા હાથ અને પગમાં ઇજાઓ થઈ છે.” અમારા ઇલેક્ટ્રિક મોપેડને પણ નુકસાન થયું છે. આ બેનર સ્પષ્ટપણે બેદરકારીભર્યા છે. અમે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરીશું. આ ગંભીર બેદરકારી કોઈના જીવનને જોખમમાં મૂકી શકે છે.

બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) પણ આ બેનર કોણે લગાવ્યું હતું. તે માટે જરૂરી મંજૂરી લેવાઈ હતી કે નહીં. તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ઇન્સ્ટોલેશનમાં કોઈ બેદરકારી અથવા નાગરિક માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાશે તો કાર્યવાહી કરાશે.

આ દરમિયાન મ્યુનિસિપલ ટીમે તકેદારીના ભાગરૂપે તૂટી પડેલું બેનર દૂર કર્યું હતું. આ ઘટનાની જવાબદારી નક્કી કરવા પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...