Wednesday, March 4, 2026

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ બાદ ઓલિમ્પિક્સ-2036ની યજમાની કરશે, જાણો કોણે કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને તાજેતરમાં સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદના નારણપુરામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો.વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સમાપન સમારોહમાં એક સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘તમે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી જીતી છે. પરંતુ અમદાવાદના લોકો, તૈયાર રહો કારણ કે આ શહેર 2036માં ઓલિમ્પિકનું પણ સ્વાગત કરવા જઈ રહ્યું છે.”

અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે 2014માં ખેલ મંત્રાલયનું બજેટ 800 કરોડ હતું જે 2025 માં વધીને 4000 કરોડ જેટલું થયું છે. 2014માં કોમનવેલ્થ માં 15 મેડલ, 2018 માં 26 અને 2022 માં 21 મેડલ દેશના ખેલાડીઓએ જીત્યા છે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં 57 સામે 107 અને પેરાલિમ્પિક માં 33 ની સામે 111 મેડલ ખેલાડીઓએ મેળવ્યા છે. શ્રી સાહેબ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ભારતમાં ઓલમ્પિક રમાશે ત્યારે મેડલ તાલુકામાં આપણે એક થી પાંચમાં હોઈશું.

શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા ગૃહમંત્રી કહ્યું કે, 2036માં ઓલિમ્પિકનું આયોજન કરતા પહેલા શહેર 2030માં કોમનવેલ્થ ગેમ્સ સહિત લગભગ એક ડઝન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરશે. આ મહોત્સવ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવા બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...