Monday, January 19, 2026

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ બાદ ઓલિમ્પિક્સ-2036ની યજમાની કરશે, જાણો કોણે કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને તાજેતરમાં સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદના નારણપુરામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો.વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સમાપન સમારોહમાં એક સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘તમે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી જીતી છે. પરંતુ અમદાવાદના લોકો, તૈયાર રહો કારણ કે આ શહેર 2036માં ઓલિમ્પિકનું પણ સ્વાગત કરવા જઈ રહ્યું છે.”

અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે 2014માં ખેલ મંત્રાલયનું બજેટ 800 કરોડ હતું જે 2025 માં વધીને 4000 કરોડ જેટલું થયું છે. 2014માં કોમનવેલ્થ માં 15 મેડલ, 2018 માં 26 અને 2022 માં 21 મેડલ દેશના ખેલાડીઓએ જીત્યા છે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં 57 સામે 107 અને પેરાલિમ્પિક માં 33 ની સામે 111 મેડલ ખેલાડીઓએ મેળવ્યા છે. શ્રી સાહેબ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ભારતમાં ઓલમ્પિક રમાશે ત્યારે મેડલ તાલુકામાં આપણે એક થી પાંચમાં હોઈશું.

શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા ગૃહમંત્રી કહ્યું કે, 2036માં ઓલિમ્પિકનું આયોજન કરતા પહેલા શહેર 2030માં કોમનવેલ્થ ગેમ્સ સહિત લગભગ એક ડઝન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરશે. આ મહોત્સવ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવા બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...