Thursday, April 30, 2026

ન્યુ રાણીપ સહીત સમગ્ર શહેરમાં ગણેશ વિસર્જન માટે 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ તૈયાર

spot_img
Share

અમદાવાદ : ભગવાન ગણેશની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવે છે. ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ. 8 કરોડના ખર્ચે આ કુંડ બનાવવામાં આવ્યા છે.

ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ગણેશ વિસર્જન તેમજ દશામાંના વ્રત સમયે થતા વિસર્જન માટે કુંડને કાયમી ધોરણે સાચવી શકાય તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે.વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્નવિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે. ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMCએ અપીલ કરી છે.

ગણેશ વિસર્જન કુંડની વિગત

પશ્ચિમ વિસ્તારમાં…

પંડીત દીનદયાલ હોલના ખાચામાં, રાજપથ કલબ રોડ
પ્રેરણા વિધાલય નજીક, ક્રિષ્ના પરોઠાથી સિંધુભવન રોડ
આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ
ગોતા ઈ.ડબ્લ્યુ એસ. કવાર્ટસની બાજુમાં
એપોલો સ્કુલની બાજુમાં, વંદેમાતરમ શાક માર્કેટની સામે
શગુન કાસા ફલેટ પાસે , રત્નાકર-૪ ની પાછળ
રીવેરા આર્કેડની પાછળ
સાબરમતી અચેર સ્મશાન ગૃહ પાસે
મોટેરા ઔડા ગાર્ડનની સામે (ઔડા તળાવની સામે) તળાવની પાસે
રાણીપ કાળીગામ તળાવની પાસે
આહવાડીયા તળાવની પાસે
ચાંદખેડા ટી.પી 44 પ્લોટ નં. 248 અને 249 પાસે
વડુ તળાવ પાસે
આમ્રકુંજ બંગ્લો પાસે
નારણપુરા વલ્લભ ચાર રસ્તા
સંસ્કાર ભારતી સોસાયટી સામે
પાલડી એન.આઈ.ડી.ની પાછળ
એન.આઈ.ડી. પાછળ (ઝીપ લાઈન પાસે) રિવરફ્રન્ટ
નવરંગપુરા વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ
સાહિત્ય પરિષદ પાસે. રિવરફ્રન્ટ

પૂર્વ વિસ્તારમાં…

રિવરફ્રન્ટમાં દધીચી બ્રીજ પાસે,
પીકનીક હાઉસ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં
માસ્ટર કોલોની પાસે
દશામા મંદીર પાસે ડાબી બાજુના ભાગમાં
એરપોર્ટ રોડ પર આવેલ દશામા મંદીર પાસે
દશા મંદીર પાસે જમણી બાજુના ભાગમા
મણિનગર દેડકી ગાર્ડન પાસે ખુલ્લા પ્લોટમાં
બેહરામપુરા બાબાલવલવી મસ્જિદ પાસે
લાંભા મુખીની વાડી પાસે
વટવા આકૃતિ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સામે
ખોખરા આવકાર હોલ પાસે પ્લોટમાં
બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ
સરદારનગર ઇન્દિરાબ્રિજ છઠ્ઠ ઘાટ નીચે
સરદારનગર ભદ્રેશર સ્મશાન પાસે
સરદારનગર રણમૂકતેશ્વર મહાદેવ પાસે
સૈજપુર તળાવ
એલીસબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે જમણી બાજુના ભાગમાં રિવરફ્રન્ટ પર
રાયખડ નદીના તટ પર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...