Sunday, January 18, 2026

ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને રાહત, 25 પરિવારોને ફ્લેટ આપવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. આ સોસાયટીમાં રહેતા 25 પરિવારો માટે રહેઠાણનું મોટું સંકટ ઊભું થયું હતું. જો કે આ ઘટનાક્રમ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે AMC દ્વારા સોસાયટીના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે, 7 દિવસમાં મકાન ખાલી કરીને પ્લોટ કોર્પોરેશનને સુપરત કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્નેહાંજલિ સોસાયટીના વિવાદને લઈને આજે 16 ડિસેમ્બરના રોજ બોડકદેવ ખાતેની ઉત્તર-પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીએ એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુ. કમિશનર તથા ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ રહેણાંકના કબજેદારો સાથે મીટિંગ થઈ હતી. હાલ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા સરદાર પટેલ નગર ખાતેના આવાસોમાં શિફ્ટ થવા માટે તમામ સભ્યોએ સંમતિ દર્શાવી હતી.આ સોસાયટીમાં રહેતા રહીશોને ઘરના બદલે ઘર મળતા કોર્પોરેશનનો આભાર માન્યો હતો.

સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને પહેલા AMC દ્વારા કરોડોના મકાન સામે પહેલા 1Bhk ફ્લેટ જ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે, સોસાયટીના સભ્યોએ હોબાળો કરતા 4Bhk મકાન આપવામાં આવી રહ્યા છે.જો કે બિલ્ડરો સામે સોસાયટીના રહીશો કાયદાકીય લડત લડતા રહેશે તેવુ જણાવવામાં આવ્યું છે. સ્થાનિકોએ કોર્પોરેશનની વૈકલ્પિક વ્યવસ્થાને સ્વીકારી છે.

તમામ સભ્યો દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે, આ આવાસો પેટે ભાડાની ચૂકવણી કે અન્ય નાણાકીય બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને AMC જે નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય છે. આ વિવાદ પૂર્ણ થયા બાદ AMC દ્વારા આગામી દિવસોમાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે. આ મકાનો ડિમોલેશન કર્યા બાદ પ્લોટનો કબજો જે તે માલિકને સોંપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...