Saturday, December 20, 2025

ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને રાહત, 25 પરિવારોને ફ્લેટ આપવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. આ સોસાયટીમાં રહેતા 25 પરિવારો માટે રહેઠાણનું મોટું સંકટ ઊભું થયું હતું. જો કે આ ઘટનાક્રમ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે AMC દ્વારા સોસાયટીના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે, 7 દિવસમાં મકાન ખાલી કરીને પ્લોટ કોર્પોરેશનને સુપરત કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્નેહાંજલિ સોસાયટીના વિવાદને લઈને આજે 16 ડિસેમ્બરના રોજ બોડકદેવ ખાતેની ઉત્તર-પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીએ એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુ. કમિશનર તથા ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ રહેણાંકના કબજેદારો સાથે મીટિંગ થઈ હતી. હાલ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા સરદાર પટેલ નગર ખાતેના આવાસોમાં શિફ્ટ થવા માટે તમામ સભ્યોએ સંમતિ દર્શાવી હતી.આ સોસાયટીમાં રહેતા રહીશોને ઘરના બદલે ઘર મળતા કોર્પોરેશનનો આભાર માન્યો હતો.

સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને પહેલા AMC દ્વારા કરોડોના મકાન સામે પહેલા 1Bhk ફ્લેટ જ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે, સોસાયટીના સભ્યોએ હોબાળો કરતા 4Bhk મકાન આપવામાં આવી રહ્યા છે.જો કે બિલ્ડરો સામે સોસાયટીના રહીશો કાયદાકીય લડત લડતા રહેશે તેવુ જણાવવામાં આવ્યું છે. સ્થાનિકોએ કોર્પોરેશનની વૈકલ્પિક વ્યવસ્થાને સ્વીકારી છે.

તમામ સભ્યો દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે, આ આવાસો પેટે ભાડાની ચૂકવણી કે અન્ય નાણાકીય બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને AMC જે નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય છે. આ વિવાદ પૂર્ણ થયા બાદ AMC દ્વારા આગામી દિવસોમાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે. આ મકાનો ડિમોલેશન કર્યા બાદ પ્લોટનો કબજો જે તે માલિકને સોંપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...

લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી, માતા-પિતાને મોકલાશે નોટિસ, નવો ડ્રાફ્ટ તૈયાર !

ગાંધીનગર : ગુજરાતમાં પ્રેમી યુગલ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમ લગ્ન મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે થતા પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજુરી...

ACBની સફળ ટ્રેપ, CID ક્રાઇમના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ...

સંકટના સમયમાં ‘જીવાદોરી’ સાબિત થયું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ : 4 વર્ષમાં થઈ 2000થી વધુ દર્દીની સારવાર

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund - CMRF) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક જીવાદોરી બન્યું છે....

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...