Saturday, December 20, 2025

અમદાવાદવાસીઓને મોટી ભેટ, AMCની આ તારીખથી ટેક્સ વ્યાજ માફી યોજના થશે લાગુ, જાણો કોને કેટલો લાભ મળશે?

spot_img
Share

અમદાવાદ : શહેરના કરદાતાઓ માટે રાહતના સમચાર સામે આવ્યા છે. નાણાંકીય વર્ષ 2025-26 ના 3 મહિના માટે જાહેર કરાઈ વ્યાજ માફી યોજના. અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 ના અંતિમ ત્રણ મહિના માટે ‘વ્યાજ માફી યોજના’ (Rebate Scheme) જાહેર કરવામાં આવી છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાકી ટેક્સની વસૂલાત ઝડપી બનાવવાનો અને કરદાતાઓ પરનું વ્યાજનું ભારણ ઘટાડવાનો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.

ક્યારથી અમલમાં આવશે આ યોજના?

આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. જે કરદાતાઓનો પાછલો ટેક્સ બાકી છે, તેઓ આ સમયગાળા દરમિયાન ટેક્સ ભરીને વ્યાજમાં મોટી છૂટછાટ મેળવી શકશે. વ્યાજ માફીનું માળખું (નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ) નવી ફોર્મ્યુલા હેઠળ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો માટે માસવાર અલગ-અલગ વ્યાજ માફી નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે, જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીમાં જાન્યુઆરીથી માર્ચ સુધી 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

AMCએ ટેક્સ વ્યાજ માફી યોજના કરી જાહેર

જાન્યુઆરી 2026થી લાગુ થશે વ્યાજ માફી યોજના
1થી 31 જાન્યુઆરી સુધી રહેણાંક ટેક્ષમાં 85 ટકા વ્યાજમાફી
બિન રહેણાંકમાં 65 ટકા વ્યાજમાફીની જાહેરાત
1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી રહેણાંકમાં 80 ટકા વ્યાજમાફી
બિન રહેણાંકમાં 60 ટકા વ્યાજમાફી
1 માર્ચથી 31માર્ચ સુધી રહેણાંકમાં 75 ટકા અને બિન રહેણાંકમાં 50 ટકા વ્યાજમાફી
ચાલી ઝૂંપડા વાળાને 100 ટકા વ્યાજમાફીનો લાભ મળશે
ચાલુ વર્ષના બાકી ટેક્ષ માટે આ વ્યાજમાફીનો મળશે લાભ
મહત્વની શરતો અને વિગતો

આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે કરદાતા તેમનો પાછલો તમામ બાકી ટેક્સ સંપૂર્ણપણે ભરી દેશે. AMC ના ચોપડે કુલ 25,89,367 પ્રોપર્ટી નોંધાયેલી છે, જેમાં 19,37,291 રહેણાંક અને 6,52,076 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.

AMC ના લક્ષ્યાંકો અને વર્તમાન આવક

નાણાંકીય વર્ષના અંતે આવક વધારવા માટે આ આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ વ્યાજ માફી સ્કીમ દ્વારા AMC ને અંદાજે રૂ. 600 કરોડની ટેક્સ આવક થવાની શક્યતા છે. વર્ષ માટે રૂ. 2500 કરોડનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધી રૂ. 1710 કરોડની આવક થઈ ચૂકી છે. અમદાવાદના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ભરીને આર્થિક બચત કરે અને શહેરના વિકાસમાં સહભાગી બને.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...

લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી, માતા-પિતાને મોકલાશે નોટિસ, નવો ડ્રાફ્ટ તૈયાર !

ગાંધીનગર : ગુજરાતમાં પ્રેમી યુગલ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમ લગ્ન મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે થતા પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજુરી...

ACBની સફળ ટ્રેપ, CID ક્રાઇમના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ...

સંકટના સમયમાં ‘જીવાદોરી’ સાબિત થયું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ : 4 વર્ષમાં થઈ 2000થી વધુ દર્દીની સારવાર

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund - CMRF) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક જીવાદોરી બન્યું છે....

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...