Thursday, January 15, 2026

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

spot_img
Share

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાથી અન્ય રાજ્યો અને વિદેશથી આવતા ગિફ્ટ સિટીના મુલાકાતીઓ માટે લિકર એકસેસની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવાતાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે. ગત સપ્તાહે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2023માં જાહેર કરાયેલા કડક નિયંત્રણોવાળા માળખામાં આ એક મોટો ફેરફાર છે.

સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના મર્યાદીત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, અગાઉ, કર્મચારીઓએ કંપનીના HR પાસેથી સત્તાધિકાર અથવા મંજૂરી લેવી પડતી હતી, જેની હવે જરૂર નથી. હવે કર્મચારી પોતે જ પરમિટ મેળવી શકે છે અને કોઈપણ વધારાની મંજૂરી વગર 25 મહેમાનોની યજમાની કરી શકે છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, વધુમાં, જો કોઈ કર્મચારી તેની પરમિટ જમા કરાવ્યા વિના ગિફ્ટ સિટી છોડી દેશે, તો તેના માટે કંપનીને હવે જવાબદાર ગણવામાં આવશે નહીં.

હવે હળવા કરાયેલા નિયમો મુજબ, જે આઉટલેટ પાસે FL-III લાઇસન્સ હશે. તેઓ હોટલ અને રેસ્ટોરન્ટના સમગ્ર પરિસરમાં દારૂ પીરસી શકશે. જેમાં લોન, પુલસાઇડ એરિયા, ટેરેસ અને હોટલના ખાનગી રૂમનો પણ સમાવેશ થાય છે. અગાઉ, વિશેષ પરમિટ ધરાવતા કર્મચારીઓ માટે માત્ર નિયત કરેલા ‘વાઇન એન્ડ ડાઇન’ ઝોનમાં જ આ મંજૂરી આપવામાં આવી હતી.

2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને આગામી સમયમાં અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જાહેરનામું ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય નાણાકીય અને બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તરીકેની ભૂમિકાને ટેકો આપવા માટેનું એક વ્યવહારુ પગલું છે. આ ફેરફાર સ્પષ્ટ રીતે નિર્ધારિત અને નિયંત્રિત માળખામાં રહીને વૈશ્વિક સંસ્થાઓ અને વ્યાવસાયિકોની કાર્યકારી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકેની તેની જવાબદારી સાથે સુસંગત રહીને, તમામ જોગવાઈઓનું નિયંત્રિત અને જવાબદારીપૂર્વક પાલન થાય તે સુનિશ્ચિત કરીને ગિફ્ટ સિટીની વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકેની સ્પર્ધાત્મકતા વધારવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...