Friday, April 17, 2026

ઉત્તરાયણને લઈને હાઉસિંગની જર્જરિત સોસાયટીઓમાં તોળાતું જોખમ, ધાબા, છત અને પાણીની ટાંકીઓ જર્જરિત

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ (મકર સંક્રાંતિ) ગુજરાતીઓ માટે એક પાવન અને આનંદનું પર્વ હોવાનું મનાય છે. આ દિવસે આકાશમાં પતંગોની રંગબેરંગી ઉડાન અને “કાઈ પોઈચ”ના નારા આખા ગુજરાતને ઉત્સાહથી ભરી દે છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં ફ્લેટો અને સોસાયટીઓના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પતંગ ચગાવે છે.આ ઉત્સાહ વચ્ચે સલામતીનો મુદ્દો મહત્વનો બની જાય છે, કારણ કે અમદાવાદમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ 40 કે તેથી વધુ વર્ષ જૂની છે અને જર્જરિત થઈ ગયેલી છે.

ખાસ કરીને અમદાવાદ શહેરમાં સોલા, નારણપુરા, નવા વાડજ સહિત પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી છે. આમાંની મોટાભાગની ઇમારતો 40-50 વર્ષ કે તેથી વધુ જૂની છે. 2001ના ભૂકંપ પછી અનેક ઇમારતોમાં નુકસાન થયું હતું, અને હવે તેમના ધાબા, પાણીની ટાંકીઓ અને છત જર્જરિત થઈ ગયા છે. સરકારી નિયમો અનુસાર 25 વર્ષથી વધુ જૂની અથવા જર્જરિત જાહેર થયેલી ઇમારતો રીડેવલપમેન્ટ માટે લાયક છે, પરંતુ અનેક સોસાયટીઓમાં આ પ્રક્રિયા હજુ બાકી છે.

જર્જરિત સોસાયટીઓમાં અનેક સોસાયટીઓમાં ધાબા, છતના સ્લેબ, પાણીની ટાંકીઓ તેમજ અન્ય માળખાકીય ભાગોમાં ગંભીર ક્ષતિ અને નબળાઈ જાેવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એકસાથે મોટી સંખ્યામાં લોકો ધાબા પર એકત્ર થવાથી માળખાકીય નિષ્ફળતા, અકસ્માતો અથવા ગંભીર દુર્ઘટના સર્જાવાનો સંભવ ખતરો રહેલો છે.

જાહેર સલામતી અને માનવજીવનના રક્ષણના હિતમાં જર્જરિત સોસાયટીના એસોસિયેશન અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે નાનું મોટુ હોય તો રીપેરીંગ કરાવવું જાેઈએ. જાે જર્જરિત તથા જૂની સોસાયટીઓમાં વધારે રીપેરીંગ કરાવવાનું હોય તો ઉત્તરાયણ દરમિયાન ધાબા પર પતંગ ચગાવવાનું ટાળવું જાેઈએ. સાથે જ સંબંધિત સોસાયટીઓને મ્યુ કોર્પાેરેશનનો સંપર્ક કરી તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવી જાેખમી માળખાઓ અંગે જરૂરી સુરક્ષા પગલાં લેવાની અપીલ કરવામાં આવે છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની અપીલ
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે અને જે અમદાવાદમાં આ તહેવાર ખાસ કરીને પતંગો ચઢાવવા માટે ધાબા ઉપર અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને એમાંય આખા અમદાવાદમાં જુના અમદાવાદની પોળો અને બાદમા આ તહેવાર સોલા, નારણપુરા અને નવાવાડજમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટો કે જે એકસરખી ઊંચાઈવાળા સમાંતર હોવાથી ત્યાં આ ઉત્તરાયણ તહેવાર ઉજવવાનો આનંદ વધારે આપતો હોય છે ત્યારે આ ફલેટોમાં કેટલાક ફ્લેટોના ઉપરના ધાબાઓ તથા તેના પેરાપીટ તથા તેની ટાંકીની આસપાસનો ભાગ જર્જરિત અથવા નબળો થઈ ગયો હોવાથી તે માટે કોઈ અકસ્માત ના બને તેના ભાગરૂપે આ ધાબા ઉપર આવતા પતંગ રસિયાઓ અને મહેમાનોને વિનંતી કે જર્જરિત ધાબાઓ અને પેરાપટોને ધ્યાનમાં રાખી ધાબાની કેપેસિટીના પ્રમાણમાં વધારે લોકો તે ધાબા ઉપર એકઠા ન થાય તે માટેના તકેદારી અને સાવચેતીના પગલાંના ભાગરૂપે સ્થાનિક બ્લોક પ્રતિનિધિઓ અને એસોસિએશનના હોદ્દેદારો તેનું ખાસ ધ્યાન રાખે તેવી મારી એક નમ્ર અપીલ છે……

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...