Thursday, January 15, 2026

ઉત્તરાયણને લઈને હાઉસિંગની જર્જરિત સોસાયટીઓમાં તોળાતું જોખમ, ધાબા, છત અને પાણીની ટાંકીઓ જર્જરિત

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ (મકર સંક્રાંતિ) ગુજરાતીઓ માટે એક પાવન અને આનંદનું પર્વ હોવાનું મનાય છે. આ દિવસે આકાશમાં પતંગોની રંગબેરંગી ઉડાન અને “કાઈ પોઈચ”ના નારા આખા ગુજરાતને ઉત્સાહથી ભરી દે છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં ફ્લેટો અને સોસાયટીઓના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પતંગ ચગાવે છે.આ ઉત્સાહ વચ્ચે સલામતીનો મુદ્દો મહત્વનો બની જાય છે, કારણ કે અમદાવાદમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ 40 કે તેથી વધુ વર્ષ જૂની છે અને જર્જરિત થઈ ગયેલી છે.

ખાસ કરીને અમદાવાદ શહેરમાં સોલા, નારણપુરા, નવા વાડજ સહિત પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી છે. આમાંની મોટાભાગની ઇમારતો 40-50 વર્ષ કે તેથી વધુ જૂની છે. 2001ના ભૂકંપ પછી અનેક ઇમારતોમાં નુકસાન થયું હતું, અને હવે તેમના ધાબા, પાણીની ટાંકીઓ અને છત જર્જરિત થઈ ગયા છે. સરકારી નિયમો અનુસાર 25 વર્ષથી વધુ જૂની અથવા જર્જરિત જાહેર થયેલી ઇમારતો રીડેવલપમેન્ટ માટે લાયક છે, પરંતુ અનેક સોસાયટીઓમાં આ પ્રક્રિયા હજુ બાકી છે.

જર્જરિત સોસાયટીઓમાં અનેક સોસાયટીઓમાં ધાબા, છતના સ્લેબ, પાણીની ટાંકીઓ તેમજ અન્ય માળખાકીય ભાગોમાં ગંભીર ક્ષતિ અને નબળાઈ જાેવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એકસાથે મોટી સંખ્યામાં લોકો ધાબા પર એકત્ર થવાથી માળખાકીય નિષ્ફળતા, અકસ્માતો અથવા ગંભીર દુર્ઘટના સર્જાવાનો સંભવ ખતરો રહેલો છે.

જાહેર સલામતી અને માનવજીવનના રક્ષણના હિતમાં જર્જરિત સોસાયટીના એસોસિયેશન અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે નાનું મોટુ હોય તો રીપેરીંગ કરાવવું જાેઈએ. જાે જર્જરિત તથા જૂની સોસાયટીઓમાં વધારે રીપેરીંગ કરાવવાનું હોય તો ઉત્તરાયણ દરમિયાન ધાબા પર પતંગ ચગાવવાનું ટાળવું જાેઈએ. સાથે જ સંબંધિત સોસાયટીઓને મ્યુ કોર્પાેરેશનનો સંપર્ક કરી તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવી જાેખમી માળખાઓ અંગે જરૂરી સુરક્ષા પગલાં લેવાની અપીલ કરવામાં આવે છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની અપીલ
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે અને જે અમદાવાદમાં આ તહેવાર ખાસ કરીને પતંગો ચઢાવવા માટે ધાબા ઉપર અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને એમાંય આખા અમદાવાદમાં જુના અમદાવાદની પોળો અને બાદમા આ તહેવાર સોલા, નારણપુરા અને નવાવાડજમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટો કે જે એકસરખી ઊંચાઈવાળા સમાંતર હોવાથી ત્યાં આ ઉત્તરાયણ તહેવાર ઉજવવાનો આનંદ વધારે આપતો હોય છે ત્યારે આ ફલેટોમાં કેટલાક ફ્લેટોના ઉપરના ધાબાઓ તથા તેના પેરાપીટ તથા તેની ટાંકીની આસપાસનો ભાગ જર્જરિત અથવા નબળો થઈ ગયો હોવાથી તે માટે કોઈ અકસ્માત ના બને તેના ભાગરૂપે આ ધાબા ઉપર આવતા પતંગ રસિયાઓ અને મહેમાનોને વિનંતી કે જર્જરિત ધાબાઓ અને પેરાપટોને ધ્યાનમાં રાખી ધાબાની કેપેસિટીના પ્રમાણમાં વધારે લોકો તે ધાબા ઉપર એકઠા ન થાય તે માટેના તકેદારી અને સાવચેતીના પગલાંના ભાગરૂપે સ્થાનિક બ્લોક પ્રતિનિધિઓ અને એસોસિએશનના હોદ્દેદારો તેનું ખાસ ધ્યાન રાખે તેવી મારી એક નમ્ર અપીલ છે……

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...