Wednesday, January 7, 2026

ઉત્તરાયણને લઈને હાઉસિંગની જર્જરિત સોસાયટીઓમાં તોળાતું જોખમ, ધાબા, છત અને પાણીની ટાંકીઓ જર્જરિત

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ (મકર સંક્રાંતિ) ગુજરાતીઓ માટે એક પાવન અને આનંદનું પર્વ હોવાનું મનાય છે. આ દિવસે આકાશમાં પતંગોની રંગબેરંગી ઉડાન અને “કાઈ પોઈચ”ના નારા આખા ગુજરાતને ઉત્સાહથી ભરી દે છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં ફ્લેટો અને સોસાયટીઓના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પતંગ ચગાવે છે.આ ઉત્સાહ વચ્ચે સલામતીનો મુદ્દો મહત્વનો બની જાય છે, કારણ કે અમદાવાદમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ 40 કે તેથી વધુ વર્ષ જૂની છે અને જર્જરિત થઈ ગયેલી છે.

ખાસ કરીને અમદાવાદ શહેરમાં સોલા, નારણપુરા, નવા વાડજ સહિત પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી છે. આમાંની મોટાભાગની ઇમારતો 40-50 વર્ષ કે તેથી વધુ જૂની છે. 2001ના ભૂકંપ પછી અનેક ઇમારતોમાં નુકસાન થયું હતું, અને હવે તેમના ધાબા, પાણીની ટાંકીઓ અને છત જર્જરિત થઈ ગયા છે. સરકારી નિયમો અનુસાર 25 વર્ષથી વધુ જૂની અથવા જર્જરિત જાહેર થયેલી ઇમારતો રીડેવલપમેન્ટ માટે લાયક છે, પરંતુ અનેક સોસાયટીઓમાં આ પ્રક્રિયા હજુ બાકી છે.

જર્જરિત સોસાયટીઓમાં અનેક સોસાયટીઓમાં ધાબા, છતના સ્લેબ, પાણીની ટાંકીઓ તેમજ અન્ય માળખાકીય ભાગોમાં ગંભીર ક્ષતિ અને નબળાઈ જાેવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એકસાથે મોટી સંખ્યામાં લોકો ધાબા પર એકત્ર થવાથી માળખાકીય નિષ્ફળતા, અકસ્માતો અથવા ગંભીર દુર્ઘટના સર્જાવાનો સંભવ ખતરો રહેલો છે.

જાહેર સલામતી અને માનવજીવનના રક્ષણના હિતમાં જર્જરિત સોસાયટીના એસોસિયેશન અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે નાનું મોટુ હોય તો રીપેરીંગ કરાવવું જાેઈએ. જાે જર્જરિત તથા જૂની સોસાયટીઓમાં વધારે રીપેરીંગ કરાવવાનું હોય તો ઉત્તરાયણ દરમિયાન ધાબા પર પતંગ ચગાવવાનું ટાળવું જાેઈએ. સાથે જ સંબંધિત સોસાયટીઓને મ્યુ કોર્પાેરેશનનો સંપર્ક કરી તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવી જાેખમી માળખાઓ અંગે જરૂરી સુરક્ષા પગલાં લેવાની અપીલ કરવામાં આવે છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની અપીલ
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે અને જે અમદાવાદમાં આ તહેવાર ખાસ કરીને પતંગો ચઢાવવા માટે ધાબા ઉપર અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને એમાંય આખા અમદાવાદમાં જુના અમદાવાદની પોળો અને બાદમા આ તહેવાર સોલા, નારણપુરા અને નવાવાડજમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટો કે જે એકસરખી ઊંચાઈવાળા સમાંતર હોવાથી ત્યાં આ ઉત્તરાયણ તહેવાર ઉજવવાનો આનંદ વધારે આપતો હોય છે ત્યારે આ ફલેટોમાં કેટલાક ફ્લેટોના ઉપરના ધાબાઓ તથા તેના પેરાપીટ તથા તેની ટાંકીની આસપાસનો ભાગ જર્જરિત અથવા નબળો થઈ ગયો હોવાથી તે માટે કોઈ અકસ્માત ના બને તેના ભાગરૂપે આ ધાબા ઉપર આવતા પતંગ રસિયાઓ અને મહેમાનોને વિનંતી કે જર્જરિત ધાબાઓ અને પેરાપટોને ધ્યાનમાં રાખી ધાબાની કેપેસિટીના પ્રમાણમાં વધારે લોકો તે ધાબા ઉપર એકઠા ન થાય તે માટેના તકેદારી અને સાવચેતીના પગલાંના ભાગરૂપે સ્થાનિક બ્લોક પ્રતિનિધિઓ અને એસોસિએશનના હોદ્દેદારો તેનું ખાસ ધ્યાન રાખે તેવી મારી એક નમ્ર અપીલ છે……

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...