Monday, February 23, 2026

ઉત્તરાયણને લઈને હાઉસિંગની જર્જરિત સોસાયટીઓમાં તોળાતું જોખમ, ધાબા, છત અને પાણીની ટાંકીઓ જર્જરિત

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ (મકર સંક્રાંતિ) ગુજરાતીઓ માટે એક પાવન અને આનંદનું પર્વ હોવાનું મનાય છે. આ દિવસે આકાશમાં પતંગોની રંગબેરંગી ઉડાન અને “કાઈ પોઈચ”ના નારા આખા ગુજરાતને ઉત્સાહથી ભરી દે છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં ફ્લેટો અને સોસાયટીઓના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પતંગ ચગાવે છે.આ ઉત્સાહ વચ્ચે સલામતીનો મુદ્દો મહત્વનો બની જાય છે, કારણ કે અમદાવાદમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ 40 કે તેથી વધુ વર્ષ જૂની છે અને જર્જરિત થઈ ગયેલી છે.

ખાસ કરીને અમદાવાદ શહેરમાં સોલા, નારણપુરા, નવા વાડજ સહિત પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી છે. આમાંની મોટાભાગની ઇમારતો 40-50 વર્ષ કે તેથી વધુ જૂની છે. 2001ના ભૂકંપ પછી અનેક ઇમારતોમાં નુકસાન થયું હતું, અને હવે તેમના ધાબા, પાણીની ટાંકીઓ અને છત જર્જરિત થઈ ગયા છે. સરકારી નિયમો અનુસાર 25 વર્ષથી વધુ જૂની અથવા જર્જરિત જાહેર થયેલી ઇમારતો રીડેવલપમેન્ટ માટે લાયક છે, પરંતુ અનેક સોસાયટીઓમાં આ પ્રક્રિયા હજુ બાકી છે.

જર્જરિત સોસાયટીઓમાં અનેક સોસાયટીઓમાં ધાબા, છતના સ્લેબ, પાણીની ટાંકીઓ તેમજ અન્ય માળખાકીય ભાગોમાં ગંભીર ક્ષતિ અને નબળાઈ જાેવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એકસાથે મોટી સંખ્યામાં લોકો ધાબા પર એકત્ર થવાથી માળખાકીય નિષ્ફળતા, અકસ્માતો અથવા ગંભીર દુર્ઘટના સર્જાવાનો સંભવ ખતરો રહેલો છે.

જાહેર સલામતી અને માનવજીવનના રક્ષણના હિતમાં જર્જરિત સોસાયટીના એસોસિયેશન અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે નાનું મોટુ હોય તો રીપેરીંગ કરાવવું જાેઈએ. જાે જર્જરિત તથા જૂની સોસાયટીઓમાં વધારે રીપેરીંગ કરાવવાનું હોય તો ઉત્તરાયણ દરમિયાન ધાબા પર પતંગ ચગાવવાનું ટાળવું જાેઈએ. સાથે જ સંબંધિત સોસાયટીઓને મ્યુ કોર્પાેરેશનનો સંપર્ક કરી તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવી જાેખમી માળખાઓ અંગે જરૂરી સુરક્ષા પગલાં લેવાની અપીલ કરવામાં આવે છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની અપીલ
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે અને જે અમદાવાદમાં આ તહેવાર ખાસ કરીને પતંગો ચઢાવવા માટે ધાબા ઉપર અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને એમાંય આખા અમદાવાદમાં જુના અમદાવાદની પોળો અને બાદમા આ તહેવાર સોલા, નારણપુરા અને નવાવાડજમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટો કે જે એકસરખી ઊંચાઈવાળા સમાંતર હોવાથી ત્યાં આ ઉત્તરાયણ તહેવાર ઉજવવાનો આનંદ વધારે આપતો હોય છે ત્યારે આ ફલેટોમાં કેટલાક ફ્લેટોના ઉપરના ધાબાઓ તથા તેના પેરાપીટ તથા તેની ટાંકીની આસપાસનો ભાગ જર્જરિત અથવા નબળો થઈ ગયો હોવાથી તે માટે કોઈ અકસ્માત ના બને તેના ભાગરૂપે આ ધાબા ઉપર આવતા પતંગ રસિયાઓ અને મહેમાનોને વિનંતી કે જર્જરિત ધાબાઓ અને પેરાપટોને ધ્યાનમાં રાખી ધાબાની કેપેસિટીના પ્રમાણમાં વધારે લોકો તે ધાબા ઉપર એકઠા ન થાય તે માટેના તકેદારી અને સાવચેતીના પગલાંના ભાગરૂપે સ્થાનિક બ્લોક પ્રતિનિધિઓ અને એસોસિએશનના હોદ્દેદારો તેનું ખાસ ધ્યાન રાખે તેવી મારી એક નમ્ર અપીલ છે……

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...