Thursday, January 15, 2026

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી મામલે હવે શાળાઓની મનમાની નહિ ચાલે. સાથે જ હવે ખાનગી શાળાઓ ફી છુપાવી પણ નહિ શકે. કારણ કે, ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની ફી નક્કી કરાઈ છે, અને તે FRC ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સ્કૂલ ફી મામલે FRC કડક બની છે. વધુ પ્રમાણમાં વસૂલાતી ફીને કારણે અને તેના પર અંકુશ મૂકવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની 5780 ખાનગી શાળાઓએ કેટલી ફી વસૂલવી તેની માહિતી FRCની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવાઈ છે. જેથી દરેક વાલી આ વેબસાઈટ થકી સ્કૂલ ફી ચેક કરી શકશે.

FRC ઝોન અમદાવાદે તેના પોર્ટલ પર એક વિશેષ ડેશબોર્ડ તૈયાર કર્યું છે. જ્યાં તમામ શાળાઓની નિર્ધારિત ફીના ઑર્ડર મૂકવામાં આવ્યા છે. વાલીઓ હવે ઘરે બેઠા જ પોર્ટલ પર જઈને શાળાનું નામ સર્ચ કરીને જે-તે વર્ષનો ફી ઑર્ડર જોઈ અને મેળવી શકે છે. સરકારની આ નીતિનો હેતુ વાલીઓને ફી બાબતે અવગત કરવાનો અને શાળાઓ દ્વારા લેવામાં આવતી ફીમાં પારદર્શિતા જાળવવાનો છે.

આ વેબસાઈટ પર ચેક કરી શકાશે
http://frcgujarat.org/ પરથી તમારી સ્કૂલનું નામ સર્ચ કરીને તેની ફીની વિગતો જાણી શકાય છે. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.

હવે કોઈ પણ શાળા FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધારે રકમ વસૂલી શકશે નહીં. જો વાલીઓ સ્વૈચ્છિક રીતે કોઈ વૈકલ્પિક પ્રવૃત્તિઓ રાખવા માંગતા હોય, તો જ તેની અલગ ફી લઈ શકાય છે. મહત્ત્વની વાત એ છે કે, જો કમિટી દ્વારા કોઈ શાળાની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય અને અપીલ પછી પણ જો તેમાં ફેરફાર ન થાય, તો શાળાઓએ વધારાની લીધેલી ફી વાલીઓને પરત કરવાની રહેશે અથવા આગામી ફીમાં એડજસ્ટ કરવાની રહેશે. આ માટે શાળાઓએ સત્વરે કાર્યવાહી કરવાની રહેશે તેવું સૂચવવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....