Wednesday, January 14, 2026

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

spot_img
Share

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ચઢાવવામાં આવતી ધજાની ઊંચાઈ વધુમાં વધુ 5 મીટર સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. ટેકનિકલ નિરીક્ષણો અને મંદિરના પૂજારીઓ તેમજ નિષ્ણાતો સાથેની પરામર્શ બાદ લેવામાં આવેલો આ નિર્ણય 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ નિર્ણય મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ લેવામાં આવ્યો છે. તાજેતરમાં કરાયેલા ટેકનિકલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે મંદિરના મુખ્ય શિખર પર આવેલો ધ્વજદંડ આશરે 15 વર્ષ જૂનો છે. દૈનિક 50 થી 60 જેટલી ધજાઓ ચઢાવવામાં આવતી હોવાથી અને પવનના ભારે દબાણને કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની સંભાવના છે. અને તેના કારણે ક્યારેક દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. તેની સાથે મોટી અને લાંબી ધજાઓ ક્યારેક જમીનને સ્પર્શે છે, તેના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે.

આ અંગે ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મંદિરના પૂજારીઓ, ધાર્મિક વિદ્વાનો અને ટેકનિકલ સલાહકારો સાથેની વિગતવાર ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મુખ્ય શિખર પર માત્ર 5 મીટર સુધીની ધજા ચઢાવવાની જ મંજૂરી આપવામાં આવશે. જે શ્રદ્ધાળુઓ તેનાથી લાંબી ધજા લાવશે, તેમને હંગામી વ્યવસ્થા રૂપે તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ તે શિખર પર લહેરાવવામાં આવશે નહીં.

મંદિર વહીવટીતંત્રએ ભક્તોને આ નિર્ણયમાં સહકાર આપવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આ પગલું સંપૂર્ણપણે શ્રદ્ધાળુઓની સલામતી, મંદિરની ભૌતિક સુરક્ષા અને પરંપરાનું સંરક્ષણ કરવા માટે લેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....