Wednesday, January 21, 2026

અમદાવાદ DEOની પ્રશંસનીય પહેલ, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેન્ક કરાઇ લોન્ચ

spot_img
Share

અમદાવાદ : આગામી ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવતાની સાથે જ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ તણાવમાં આવી જાય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવીને કોઈ ખોટુ પગલુ ન ભરે તેને લઈને એક પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને દરેક પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી આ પહેલ હાથ ધરાઈ છે. સતત ચૌથા વર્ષે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. અમદાવાદ DEO દ્વારા ડિજિટલ પ્રશ્ન બેંક અને દરેક વિષયના બે મોડેલ પ્રશ્નપત્રોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

question-bank-0-2026-01-5f92c9b25b8081f5e518936cf0df0f0b

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સચોટ અને ગુણવત્તાયુક્ત મટિરિયલ પૂરું પાડવાનો છે. આ સુવિધા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે અને વિદ્યાર્થીઓ માત્ર એક ક્લિક દ્વારા આખા અભ્યાસક્રમની પ્રશ્ન બેંક મેળવી શકશે. (ઉપરોક્ત આપેલી પીડીએફમાં આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને તમે લિંક મેળવી શકો છો.)

પ્રશ્ન બેંકમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય પ્રવાહના કુલ 40 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે સામગ્રી ઉપલબ્ધ છે.

ધોરણ 10ના મુખ્ય 6 વિષયો, વિજ્ઞાન પ્રવાહના 6 વિષયો અને સામાન્ય પ્રવાહના 8 મહત્ત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પ્રશ્નબેંકમાં વિષયવાર 300 પ્રશ્નો હશે. તમામ પ્રશ્નો MCQ બેઇઝડ પ્રશ્નપત્ર છે. કુલ 40 વિષયોના 80 પ્રશ્નપત્ર તૈયાર કરાયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...