Thursday, January 22, 2026

સુભાષબ્રિજ બાદ હવે દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાયા, રોજના એક લાખથી વધુ વાહનચાલકોની અવરજવર

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં બ્રિજની કામગીરીમાં હવે અવારનવાર ખામીઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી સામે આવી છે.જૂના વાડજના 14 વર્ષ મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજમાં જ્યાં સળિયા ઉખડી ગયા છે તેની આગળના ભાગે પણ આ જ રીતે ખાડા પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જુના વાડજ વિસ્તારમાં મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ આવેલો છે.વર્ષ 2011માં આ ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 14 વર્ષે જુના ઓવરબ્રિજના ઉપરના ભાગે રોડ પરના સળિયા દેખાવા લાગ્યા છે. રોડની સરફેસ નીકળી ગઈ છે અને સળિયા દેખાઈ રહ્યા છે અને બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાની સાથે બ્રિજમાં વાઇબ્રેશન પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે.વર્ષ 2011માં લોકો માટે ખુલ્લો મુકાયેલા આ બ્રિજની હાલત ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ જતાં તેની ગુણવત્તા પર શંકાની સોય સેવાઈ રહી છે.

સુભાષ બ્રિજને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે અને તેનો તમામ ટ્રાફિક વાડજના દધીચિ ફ્રિજ તરફ ડાયવર્ટ કર્યો છે. જેના કારણે રોજના એક લાખથી વધારે વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે આ બ્રિજ ઉપર સડિયા દેખાતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જો સમયસર આ બંને બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચારને લઈને ઉગ્ર ચર્ચાઓ જાગી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...