Thursday, January 8, 2026

સુભાષબ્રિજ બાદ હવે દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાયા, રોજના એક લાખથી વધુ વાહનચાલકોની અવરજવર

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં બ્રિજની કામગીરીમાં હવે અવારનવાર ખામીઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી સામે આવી છે.જૂના વાડજના 14 વર્ષ મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજમાં જ્યાં સળિયા ઉખડી ગયા છે તેની આગળના ભાગે પણ આ જ રીતે ખાડા પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જુના વાડજ વિસ્તારમાં મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ આવેલો છે.વર્ષ 2011માં આ ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 14 વર્ષે જુના ઓવરબ્રિજના ઉપરના ભાગે રોડ પરના સળિયા દેખાવા લાગ્યા છે. રોડની સરફેસ નીકળી ગઈ છે અને સળિયા દેખાઈ રહ્યા છે અને બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાની સાથે બ્રિજમાં વાઇબ્રેશન પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે.વર્ષ 2011માં લોકો માટે ખુલ્લો મુકાયેલા આ બ્રિજની હાલત ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ જતાં તેની ગુણવત્તા પર શંકાની સોય સેવાઈ રહી છે.

સુભાષ બ્રિજને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે અને તેનો તમામ ટ્રાફિક વાડજના દધીચિ ફ્રિજ તરફ ડાયવર્ટ કર્યો છે. જેના કારણે રોજના એક લાખથી વધારે વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે આ બ્રિજ ઉપર સડિયા દેખાતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જો સમયસર આ બંને બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચારને લઈને ઉગ્ર ચર્ચાઓ જાગી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...