Wednesday, March 4, 2026

માનવતા નેવે મુકાઇ, રાણીપ વિસ્તારમાં પાર્કિંગમાં સૂતેલા ગલુડિયા પર કાર ચઢાવી દેતા મોત

spot_img
Share

અમદાવાદ : માનવતા મરી પરવારી હોવાની ઘટના અવારનવાર સામે આવતી જ હોય છે. નિર્દયતાનો વધુ એક કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં આરામ કરી રહેલા એક માસૂમ ગલુડિયા પર વાહનચાલકે કાર ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધું છે, આ મામલે સોસાયટીના જ એક જાગૃત નાગરિકે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપમાં રહેતા ફૂલદીપભાઈ શર્માએ રાણીપ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ સુંદરવન ફ્લેટ ખાતે આવેલી નારાયણ રેસીડેન્સીમાં રહે છે. સોસાયટીના જ બ્લોક ડી/405માં રહેતા 58 વર્ષીય જયપ્રકાશ સરોજ પોતાની મારૂતિ ઓમ્ની ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યા હતા. તે સમયે તેમણે ભારે બેદરકારી દાખવી આજુબાજુ જોયા વગર જ ગાડી ચાલુ કરી આગળ વધારી હતી.ત્યાં પાર્કિંગમાં એક બ્રાઉન રંગનું ગલુડિયું શાંતિથી સૂતું હતું, જેના પર તેમણે ગાડી ચઢાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાને કારણે ગલુડિયાનું મોત થયું હતું.

સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ, રાણીપ પોલીસે આરોપી જયપ્રકાશ સરોજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 325 તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ 1960ની કલમ 11(1)(એ) અને 11(1)(આઈ) મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી ફૂલદીપભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈને પણ અબોલ પશુઓ સાથે આવી ક્રૂરતા કરવાનો અધિકાર નથી અને આરોપીને કડક સજા થવી જોઈએ.

આ ઘટના પછી સ્થાનિક લોકો અને પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. ઘણા લોકોએ સૂચના આપી છે કે આવું કૃત્ય ન થાય તે માટે પ્રતિબંધક પગલાં લેવાય અને દંડની કાર્યવાહી કડક હોવી જોઈએ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...