Wednesday, January 7, 2026

માનવતા નેવે મુકાઇ, રાણીપ વિસ્તારમાં પાર્કિંગમાં સૂતેલા ગલુડિયા પર કાર ચઢાવી દેતા મોત

spot_img
Share

અમદાવાદ : માનવતા મરી પરવારી હોવાની ઘટના અવારનવાર સામે આવતી જ હોય છે. નિર્દયતાનો વધુ એક કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં આરામ કરી રહેલા એક માસૂમ ગલુડિયા પર વાહનચાલકે કાર ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધું છે, આ મામલે સોસાયટીના જ એક જાગૃત નાગરિકે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપમાં રહેતા ફૂલદીપભાઈ શર્માએ રાણીપ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ સુંદરવન ફ્લેટ ખાતે આવેલી નારાયણ રેસીડેન્સીમાં રહે છે. સોસાયટીના જ બ્લોક ડી/405માં રહેતા 58 વર્ષીય જયપ્રકાશ સરોજ પોતાની મારૂતિ ઓમ્ની ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યા હતા. તે સમયે તેમણે ભારે બેદરકારી દાખવી આજુબાજુ જોયા વગર જ ગાડી ચાલુ કરી આગળ વધારી હતી.ત્યાં પાર્કિંગમાં એક બ્રાઉન રંગનું ગલુડિયું શાંતિથી સૂતું હતું, જેના પર તેમણે ગાડી ચઢાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાને કારણે ગલુડિયાનું મોત થયું હતું.

સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ, રાણીપ પોલીસે આરોપી જયપ્રકાશ સરોજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 325 તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ 1960ની કલમ 11(1)(એ) અને 11(1)(આઈ) મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી ફૂલદીપભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈને પણ અબોલ પશુઓ સાથે આવી ક્રૂરતા કરવાનો અધિકાર નથી અને આરોપીને કડક સજા થવી જોઈએ.

આ ઘટના પછી સ્થાનિક લોકો અને પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. ઘણા લોકોએ સૂચના આપી છે કે આવું કૃત્ય ન થાય તે માટે પ્રતિબંધક પગલાં લેવાય અને દંડની કાર્યવાહી કડક હોવી જોઈએ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...