Friday, January 16, 2026

AMC દ્વારા પ્રશંસનીય કામગીરી, શહેરના માર્ગો પરથી 50 કિલો જીવલેણ દોરીનો નિકાલ કરાયો

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો છે, પરંતુ ઉત્તરાયણ દરમિયાન રસ્તા પર પડેલી પતંગની દોરી વાહનચાલકો અને પક્ષીઓ માટે યમદૂત સમાન સાબિત થતી હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રશંસનીય કવાયત હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના CNDC દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફ્લાયઓવર પરથી પતંગની કાપાયેલી દોરીઓ એકત્રિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ દોરીઓ ગળાના ફાંસા સમાન બની જતી હોય છે. આ ગંભીર સમસ્યાને રોકવા માટે AMCનો CNDC વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. CNDC વિભાગના કર્મચારીઓએ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે.અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 50 કિલો જેટલી ઘાતક દોરીનો જથ્થો એકત્ર કરી તેનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે. તંત્રની આ કામગીરીને કારણે ગળામાં દોરી ફસાવવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા અટક્યા છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસો દરમિયાન હજારો પતંગો આકાશમાં ચગે છે. જેના કારણે 15 અને 16 જાન્યુઆરીના દિવસો સૌથી વધુ જોખમી માનવામાં આવે છે. AMC દ્વારા આ બે દિવસોને ખાસ ‘ક્લિનિંગ ડે’ તરીકે ગણીને સવારથી જ ટીમો કાર્યરત કરી દેવામાં આવી હતી. માત્ર જાહેર માર્ગો જ નહીં, પરંતુ સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પરથી પણ કચરો અને દોરીઓ હટાવવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ઉત્તરાયણ બાદ પોતાના ઘરના ધાબા કે આસપાસ પડેલી નકામી દોરીઓને જાહેરમાં ફેંકવાને બદલે તેને સુરક્ષિત રીતે ડસ્ટબિનમાં નિકાલ કરવો જોઈએ, જેથી કોઈ અબોલ પક્ષી કે નિર્દોષ વાહનચાલકનો જીવ જોખમમાં ન મુકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...