Wednesday, February 18, 2026

AMC દ્વારા પ્રશંસનીય કામગીરી, શહેરના માર્ગો પરથી 50 કિલો જીવલેણ દોરીનો નિકાલ કરાયો

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો છે, પરંતુ ઉત્તરાયણ દરમિયાન રસ્તા પર પડેલી પતંગની દોરી વાહનચાલકો અને પક્ષીઓ માટે યમદૂત સમાન સાબિત થતી હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રશંસનીય કવાયત હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના CNDC દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફ્લાયઓવર પરથી પતંગની કાપાયેલી દોરીઓ એકત્રિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ દોરીઓ ગળાના ફાંસા સમાન બની જતી હોય છે. આ ગંભીર સમસ્યાને રોકવા માટે AMCનો CNDC વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. CNDC વિભાગના કર્મચારીઓએ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે.અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 50 કિલો જેટલી ઘાતક દોરીનો જથ્થો એકત્ર કરી તેનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે. તંત્રની આ કામગીરીને કારણે ગળામાં દોરી ફસાવવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા અટક્યા છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસો દરમિયાન હજારો પતંગો આકાશમાં ચગે છે. જેના કારણે 15 અને 16 જાન્યુઆરીના દિવસો સૌથી વધુ જોખમી માનવામાં આવે છે. AMC દ્વારા આ બે દિવસોને ખાસ ‘ક્લિનિંગ ડે’ તરીકે ગણીને સવારથી જ ટીમો કાર્યરત કરી દેવામાં આવી હતી. માત્ર જાહેર માર્ગો જ નહીં, પરંતુ સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પરથી પણ કચરો અને દોરીઓ હટાવવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ઉત્તરાયણ બાદ પોતાના ઘરના ધાબા કે આસપાસ પડેલી નકામી દોરીઓને જાહેરમાં ફેંકવાને બદલે તેને સુરક્ષિત રીતે ડસ્ટબિનમાં નિકાલ કરવો જોઈએ, જેથી કોઈ અબોલ પક્ષી કે નિર્દોષ વાહનચાલકનો જીવ જોખમમાં ન મુકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...