Wednesday, February 18, 2026

અમદાવાદીઓને મળશે ટ્રાફિકમાંથી છુટકારો, આ રેલવે ક્રોસિંગ પર બ્રિજ કે અંડરપાસ બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નગરજનો માટે માથાનો દુખાવો બની ગયેલા અનેક રેલવે ક્રોસિંગ પર હવે બ્રિજ કે અંડરપાસ બનાવવા માટે તંત્રે તેયારી દર્શાવી છે.શહેરના 14માંથી 8 રેલવે ક્રોસિંગ પર બ્રિજ કે અંડરપાસ બનાવાશે, જેનું કામ બેથી અઢી વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. જ્યારે અમદાવાદ ડિવિઝનના તમામ 370 ક્રોસિંગ પર પણ 10 હજાર કરોડના ખર્ચે બ્રિજ કે અંડરપાસ બનાવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ડિવિઝનનાં કુલ 370 ક્રોસિંગમાંથી રેલવેએ અત્યાર સુધીમાં 40 અંડરપાસ અને 26 ઓવરબ્રિજ માટે મંજૂરી આપી દીધી છે. શહેરમાં બાકીનાં છ ક્રોસિંગ માટે રેલવે અને અમદાવાદ મ્યુનિ. વચ્ચે પરામર્શ ચાલી રહ્યો છે. ટ્રેન પસાર થવાની હોય ત્યારે લોકોએ ફાટક પાસે 10થી 15 મિનિટ રાહ જોવી પડે છે, જેમાંથી મુક્તિ મળશે.આ વિસ્તારો વચ્ચેનો મુસાફરી માત્ર સરળ જ નહીં, પરંતુ સમયની બચત કરનારી પણ બનશે.

આ વિસ્તારોમાં બ્રિજ કે અંડરપાસનું નિર્માણ થતાં લાંબા સમયથી પરેશાન થતા શહેરીજનોને કાયમી છુટકારો મળશે. ખાસ કરીને દર 10 મિનિટે રેલવે ફાટક બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેમાંથી રાહત મળી શકશે.

રેલવે અંડરપાસ હાલનો ટ્રાફિક (ટીવીયુ)
વિંઝોલ ક્રોસિંગ (એલસી 305) 15 લાખથી વધુ
આંબલી રોડ નજીક (એલસી 15) 6 લાખથી વધુ
ચાંદલોડિયા (એલસી 03) 8 લાખથી ‌વધુ
ત્રાગડ રોડ (એલસી 240) 10 લાખથી વધુ
રેલવે ઓવરબ્રિજ
પુનિતનગર ક્રોસિંગ (એલસી 307) 16.65 લાખથી વધુ
દક્ષિણી ક્રોસિંગ (એલસી 308) 31 લાખથી વધુ
જનતાનગર (એલસી 07) 6.75 લાખથી વધુ
આંબલી રોડ, થલતેજ પાસે (એલસી 11) 5 લાખથી વધુ

 

1 ટીવીયુ એટલે 1 વાહન નહિ ટ્રાફિક વ્હીકલ યુનિટ (ટીવીયુ) એક ગણતરીની પદ્ધતિ છે, જેનાથી ક્રોસિંગ પરનો વાહન વ્યવહાર માપવામાં આવે છે. જેમ કે, 1 ટ્રકને 3 યુનિટ, કારને 1 યુનિટ, બાઇકને 1 યુનિટ ગણાય છે. એટલે કે જો એક બસને 3 યુનિટ (ટીવીયુ) ગણાય છે. માત્ર 1 વાહન ગણાતું નથી.

10થી 12 મિનિટ… ફાટક બંધ હોય ત્યારે ઊભા રહેવું પડે છે. 15થી 18 વખત… એક ફાટક દિવસમાં બંધ થાય છે 1 લાખ વાહન… ફાટક પરની અવરજવર હોય તો જ બ્રિજ કે અંડપાસ બને છે. (સોર્સઃ ઇન્ડિયન સ્કૂલ ઑફ પબ્લિક પોલિસી)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...