Friday, November 14, 2025

નારણપુરાના હાઉસીંગના પ્રશ્નોને લઈને અરવિંદ કેજરીવાલને રજૂઆત કરતા રાજકારણ ગરમાયુ

spot_img
Share

અમદાવાદ : આગામી વિધાનસભા ચૂંટણીને લઇને વિવિધ સંગઠનો અને સંસ્થાઓ શાસક પક્ષના વિરોધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારીને ગાંધીનગરમાં ધરણા સાથે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. અનેક સંગઠનો આમ આદમી પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે કે માંગી રહ્યા છે. તમામને આશા છે કે વિધાનસભા ચૂંટણી ટાણે માંડ સરકાર હાથમાં આવી છે અને આજ સમય છે કે સરકારનું નાક દબાવીને તેમના પડતર પ્રશ્નોનું સમાધાન લાવી શકાશે. એટલે જ દર બીજા દિવસે વિવિધ સંગઠનો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સહીત સમગ્ર રાજ્યમાં વિરોધ-ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે.

તાજેતરમાં ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના હોદ્દેદારો દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અમદાવાદ મુલાકાત દરમ્યાન હાઉસીંગના પ્રશ્નોને લઈને પડતર દસ્તાવેજોની અડચણો તથા રિડેવલપમેન્ટને સરળ બનાવવા અને અડચણો દૂર કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે ઊંડો રસ લઈ વાતને ધ્યાનમાં લઈ તેનો તેમની સરકાર રહિશોના હિતમાં ઉકેલ આપશે તેવી ખાત્રી પણ આપી હતી.આ મુલાકાતમાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા તથા ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં હાજરીમાં ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ, બીપીનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ શાહ, અમૃતભાઈ પ્રજાપતિ અને સ્થાનિક આગેવાન સિદ્ધાર્થ ભાઈ સોની પણ હાજર રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...