16.2 C
Gujarat
Saturday, January 18, 2025

આખરે માલધારીઓ સામે ઝૂકી સરકાર ! વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે

Share

અમદાવાદ : રાજ્યભરમાં માલધારી સમાજના વિરોધને જોતા રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે એવું અહેવાલો જણાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદો પરત લેવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યની વિધાનસભામાં 1 એપ્રિલના રોજ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી રાજ્યમાં આ કાયદાનો અમલ થયો નથી.

ગત રવિવારે અડાલજ ખાતે માલધારી સમાજે કાયદાને લઈને મહાસંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સમાજના આગેવાનોએ કાયદાનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો અને હજી પણ યથાવત છે. આ ઉપરાંત માલધારીઓ આગામી 21મી દૂધ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે.રાજ્ય સરકારે જ્યારથી આ કાયદો લાવવાની જાહેરાત કરી હતી ત્યારથી માલધારી સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

ગુજરાત વિધાનસભામાંથી આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તે સમયે પણ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ મુખ્યમંત્રીને કાયદાને મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles