Saturday, February 7, 2026

આખરે માલધારીઓ સામે ઝૂકી સરકાર ! વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે

spot_img
Share

અમદાવાદ : રાજ્યભરમાં માલધારી સમાજના વિરોધને જોતા રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે એવું અહેવાલો જણાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદો પરત લેવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યની વિધાનસભામાં 1 એપ્રિલના રોજ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી રાજ્યમાં આ કાયદાનો અમલ થયો નથી.

ગત રવિવારે અડાલજ ખાતે માલધારી સમાજે કાયદાને લઈને મહાસંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સમાજના આગેવાનોએ કાયદાનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો અને હજી પણ યથાવત છે. આ ઉપરાંત માલધારીઓ આગામી 21મી દૂધ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે.રાજ્ય સરકારે જ્યારથી આ કાયદો લાવવાની જાહેરાત કરી હતી ત્યારથી માલધારી સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

ગુજરાત વિધાનસભામાંથી આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તે સમયે પણ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ મુખ્યમંત્રીને કાયદાને મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...