Friday, March 6, 2026

આખરે માલધારીઓ સામે ઝૂકી સરકાર ! વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે

spot_img
Share

અમદાવાદ : રાજ્યભરમાં માલધારી સમાજના વિરોધને જોતા રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે એવું અહેવાલો જણાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદો પરત લેવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યની વિધાનસભામાં 1 એપ્રિલના રોજ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી રાજ્યમાં આ કાયદાનો અમલ થયો નથી.

ગત રવિવારે અડાલજ ખાતે માલધારી સમાજે કાયદાને લઈને મહાસંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સમાજના આગેવાનોએ કાયદાનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો અને હજી પણ યથાવત છે. આ ઉપરાંત માલધારીઓ આગામી 21મી દૂધ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે.રાજ્ય સરકારે જ્યારથી આ કાયદો લાવવાની જાહેરાત કરી હતી ત્યારથી માલધારી સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

ગુજરાત વિધાનસભામાંથી આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તે સમયે પણ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ મુખ્યમંત્રીને કાયદાને મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...