Saturday, November 15, 2025

અમદાવાદીઓને મેટ્રોની ભેટ : PM નરેન્દ્ર મોદીએ મેટ્રો ફેઝ-1માં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી, મેટ્રો ટ્રેનનું નિરીક્ષણ કર્યુ

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી દીધી છે. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ છે. આ પહેલાં ગાંધીનગરથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાંથી જ વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા. મહત્ત્વનું છે કે, બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતુ અને ત્યારબાદ લોકોપાયલટ સાથે વાતચીત પણ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલી ઝંડી બતાવી છે. પીએમ મોદી ફેઝ-1ના ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે થલતેજથી વસ્ત્રાલ સુધીનો છે તે કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી મેટ્રોને લીલી ઝંડી બતાવીને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા નીકળી ગયા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ મેટ્રોના ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં કુલ 17 સ્ટેશન આવશે. જેમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, અને કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે.

અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુનો છે. 2014થી અત્યાર સુધી 910 લાખ માનવ દિવસ રોજગારનું સર્જન થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ અને નિકાસ પોઈન્ટ છે. મેટ્રોની રાહ જોતા અમદાવારીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. 2 ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન અમદાવાદીઓ માટે દોડતી થઈ જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...