Monday, February 16, 2026

નવા વાડજની આ સ્કૂલોમાં વિધાર્થીનીઓ માટે ‘પોક્સો એક્ટ’ અંગે સેમિનાર યોજાયો

spot_img
Share

અમદાવાદ : વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ સમાજનું ભવિષ્ય છે, છતાં આધુનિક સમાજમાં પણ બાળકોની જાતીય સતામણીના બનાવ સતત વધ્યા છે. અવારનવાર આવા બનાવ સામે આવે છે. જેને લઈને નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય દ્વારા એક અનોખો પ્રયાસ કરી “પોક્સો એક્ટ” અંગે માહિતી અને માર્ગદર્શન અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા એડવોકેટ દ્વારા સ્કૂલની વિધાર્થિનીઓને POCSO એક્ટ અંતર્ગત વિવિધ માહિતી આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ આ સેમિનારમાં જાણીતા એડવોકેટ યામિનીબેન બારોટ અને એડવોકેટ ચિન્મયીબેન ત્રિવેદી દ્વારા પોક્સો (POCSO) ( protection of children from of sexual offences) એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારી સાથે કોઈ અડપલાં કરે કે લાલચ આપી ફોસલવાની કોશિશ કરે અથવા તમે આવું કરતા કોઈને જુવો તો 1098 હેલ્પલાઈન પર કોલ કરો.તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસને જાણ કરવાનું ઇનામ પણ આપવામાં આવશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે POCSO એક્ટમાં કેસના ચુકાદા એક વર્ષની અંદરજ આવી જાય છે અને ભોગ બનનારની સમસ્ત માહિતી ગુપ્ત રખાતી હોય છે.એટલે ડરવાની મૂંઝવણમાં રેહવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે.

નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ આ સેમિનારમાં શિક્ષકગણ સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં તેમજ બહોળી સંખ્યામાં બન્ને હાઇસ્કૂલના વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...