Saturday, March 7, 2026

મોટેરામાં માલિકને સ્ટ્રોંગ રૂમમાં પૂરી બે કર્મચારીએ ત્રણ કિલો સોનાની મચાવી લૂંટ

spot_img
Share

અમદાવાદ : દિવાળીએ અમદાવાદમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો છે. મોટેરામાં અંજલી જલેવર્સમાં કરોડો રૂપિયાની લૂંટનો બનાવ છે. જવેલર્સમાં કામ કરતા કર્મચારીઓએ માલિકને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. બંને કર્મચારીઓ દુકાનમાં રહેલ કરોડો રૂપિયાના દાગીના લઈ ફરાર થયા હતા. ત્યારે ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી FSLની મદદ લઇ વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોટેરા વિસ્તારમાં આવેલા અંજલિ જ્વેલર્સમાં ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્વેલર્સના શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનાના દાગીના અને બિસ્કિટ મૂકવા જઇ રહ્યા હતા, ત્યારે જ ત્યાં કામ કરતાં બે કર્મચારી ત્યાં આવ્યા હતા અને શેઠને સ્ટ્રોંગ રૂમમાં પૂરી દીધા હતા. આ બન્ને કર્મચારીઓએ લગભગ ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, જ્વેલર્સમાં પડેલી પાંચ લાખ જેટલી રોકડ પણ તેમણે ચોરી હતી. ચોરીનો આંકડો દોઢ કરોડની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માલિક મહેશ શાહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ વણઝારાએ જણાવ્યું કે, માલિકને બંધક બનાવનાર બે કર્મચારી સુનિલ ઝાલા અને ચિરાગ બારોટ છે. સુનિલ ઝાલા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે અને ચિરાગ મૂળ મહેસાણાનો વતની છે. સુનિલ પાંચ વર્ષથી જ્વેલરી શોરૂમમાં નોકરી કરે છે અને ચિરાગ એક વર્ષથી નોકરી કરે છે. તેઓએ દુકાનમાંથી આશરે 3 કિલો સોનાના દાગીના અને 5 લાખ રોકડાની લૂંટ કરી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...