Thursday, September 18, 2025

રિવરફ્રન્ટમાં ક્રુઝ રામ ભરોસે : ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ, મહિલાનો આબાદ બચાવ

Share

Share

અમદાવાદ : સાબરમતી રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થઈ હતી. મળતા રિપોર્ટ મુજબ શુક્રવારે રાત્રે ક્રુઝમાં બેસતા સમયે આ ઘટના બની હતી.રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થઇ હતી. ક્રૂઝના સંચાલકની બેદરકારીના કારણે મહિલા નદીમાં પડી ગઇ હતી. મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટચાલકો કે કોઈ રેસ્ક્યુ ટિમ બચાવવા પણ ન આવી હોવાનું જાણવા મળ્યું છે.

રિવરફન્ટમાં આવેલી એન્ટાર્ટિક સી વર્લ્ડની ક્રુઝ અને પ્લેટફોર્મ વચ્ચે અંતર વધી જતાં મહિલા પાણીમાં ખાબકી હતી. જો કે સદનશીબે કોઈ જાનહાની થઈ નથી. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને બચાવી લીધી હતા. આ ઘટનાને પગલે સ્થળ પર હાજર સૌ કોઈ લોકોના શ્વાસ અધર ચડી ગયા હતા. જો સમયસર સ્થાનિક લોકોએ મદદ ન કરી હોત તો દુર્ઘટના ઘટતા વાર ન લાગત.

સમગ્ર મામલે પોતાની બેદરકારી ભૂલીને એન્ટાર્ટિકા સી વર્લ્ડની ટીમ પરિવારને પાણી અને કોફી આપીને વાતો કરવા લાગી અને તેમની પાસેથી ટિકિટ લઇને તેમને પૈસા પણ તાત્કાલિક રીફન્ડ આપી દીધા હતા. ત્યારબાદ અન્ય પેસેન્જર સાથે ક્રુઝ ચાલુ કરીને રવાના કરી દેવામાં આવી હતી. આ મામલે મહિલાએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને ફરિયાદ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...