Saturday, March 7, 2026

ભાજપનો ગઢ ગણાતી નારણપુરા બેઠક પરથી જીતુભાઇ (ભગત) પટેલે ઉમેદવારી પત્ર ભર્યુ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં નારણપુરા બેઠક પર ભાજપે આ વખતે શહેર સંગઠનના મહામંત્રી જીતુભાઇ પટેલને ટિકિટ આપી છે. આજે જીતુભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા કામેશ્વર મહાદેવ દર્શન કરી આશિર્વાદ લીધા હતા.આ પ્રસંગે પૂર્વ ડે.મુખ્યમંત્રી નિતીન પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોની હાજરીમાં બાઈક રેલી પણ યોજી હતી. એટલુ જ નહીં ઐતિહાસિક બેઠકો સાથે ભાજપ સરકાર બનાવશે તેવો દાવો પણ કર્યો હતો.

આ પ્રસંગે ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે પાર્ટીએ જે જવાબદારી આપી છે, પ્રજાની સેવા કરીશ અને પ્રજા અને સરકાર વચ્ચે સેતુ બનીને કોઈ પણ પ્રશ્ન હશે તો નિવારણ કરવાનો પ્રયત્ન કરીશ નારણપુરા બેઠક પર 1995 થી 2017 સુધીમાં એક વખત પેટાચૂંટણીને બાદ કરતા અહીં ભાજપનું એકચક્રી શાસન રહ્યુ છે. છેલ્લા 27 વર્ષથી અહીં ભાજપનો દબદબો છે. આ બેઠકના મતદારોનો ઝુકાવ પહેલેથી ભાજપ તરફી રહ્યો છે. 1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપ તરફથી યતીન ઓઝા ચૂંટાયા હતા.

2012માં તત્કાલિન ગૃહમંત્રી અને હાલના દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ નારણપુરા બેઠક પરથી લડ્યા હતા અને જંગી લીડ સાથે જીત્યા હતા. ત્યારબાદ 2017માં પણ કૌશિકભાઈ પટેલ જંગી બહુમતી સાથે અહીંથી ચૂંટાયા હતા. આ વખતે ભાજપે જીતુભાઇ ભગતને નારણપુરાથી મેદાને ઉતાર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...