Saturday, March 7, 2026

નવા વાડજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ જાહેરસભા ગજવશે

spot_img
Share

અમદાવાદ : વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પ્રચારજંગમાં ગરમાવો આવતો જોવા મળી રહ્યો છે ત્યારે ચૂંટણીના પ્રચારજંગને વધુ વેગવાન બનાવવા માટે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે અમદાવાદના નવા વાડજ ખાતે જાહેરસભા સંબોધવા આવી રહ્યા છે. ભાજપના આ કદાવર નેતાની જાહેરસભાને લઈ તૈયારીઓના ધમધમાટને વેગીલો બનાવી દેવાયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ સોમવાર તા. 28ના સાંજે 8-00 કલાકે નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા ખાતે રાતે 8-00 કલાકે જંગી જાહેરસભાને સંબોધશે. ભાજપના ઉમેદવારોની પસંદગી સહિતની બાબતમાં જેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે એવા શ્રી અમિત શાહ અમદાવાદના નવા વાડજમાં જાહેરસભા સંબોધવા આવતા હોવાથી સ્થાનિક ભાજપ સંગઠનમાં ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જેમના સમર્થનમાં આ જાહેરસભાનું આયોજન થઈ રહ્યું છે એવા નારણપુરા બેઠકના ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલે (જીતુ ભગત) અને સ્થાનિક અગ્રણી ગૌતમ શાહે સભા સ્થળની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓ નિહાળી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી નવા વાડજમાં સભા સંબોધવા આવતા હોવાથી સભા સ્થળ સહિતના અન્ય મહત્ત્વના પોઈન્ટ પર પોલીસ પ્રશાસને પણ સુરક્ષા બંદોબસ્ત જાળવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...