Monday, September 15, 2025

અમદાવાદમાં અમિત શાહ ગર્જ્યા, હું અમરાઈવાડીને જય શ્રી રામ કહેવા આવ્યો છું

Share

Share

અમદાવાદ : અમદાવાદ ખાતે મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જંગી સભા યોજાઈ હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, ઘણા સમયે હું અમરાઈવાડીમાં આવ્યો છું. અમરાઈવાડીને જય શ્રી રામ કહેવા આવ્યો છું. ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા મત આપવાનો છે. હસમુખભાઈને ધારાસભ્યની સાથે ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા છે.

ગૃહમંત્રીએ જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે રાધિકા જિમખાના AK 47 રાઇફલથી ફાયરિંગ થયા હતા. આજે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે છે કોઈની તાકાત નથી કાકરીચાળો કરે. ગુજરાતને રમખાણમુક્ત કરાવવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે. પૂર્વ અમદાવાદને ફાયદો વધુ થયો છે. સાંસ્કૃતિક હોલ બનાવ્યા, કેનલનું બ્યુટીફીકેશન કરવાનું કામ પૂર્વ માટે થયું છે.

શાહે વધુમાં ઉમેર્યું કે, બાબુભૈયાથી કુખ્યાત વિસ્તારમાં વિકાસ કર્યો. ગેરકાયદેસર કારખાનોને અધિકૃત ફેકટરીનો પરવાનો પણ ઔધોગિક એકમોથી રોજગારો ઉભો કર્યો. અમદાવાદને હેરિટેજ સિટીમાં સ્થાન અપાવ્યું. આ કોંગસિયાઓએ બેગમ બાદશાહનું સીટી બનાવેલું, નરેદ્ર ભાઈ એ હેરીટેજ સીટી બનાવ્યું. અત્યારે જ કહું છું 1 જાન્યુ. 2024ની અયોધ્યાની ટિકિટ બુક કરાવી લો રામ મંદિર તૈયાર હશે, 2036નું ઓલમ્પિક અમદાવાદમાં આવશે.

ભાજપે 2002માં કોમી રમખાણો કરાવનારાને પાઠ ભણાવ્યો હતો. હું મંત્રી હતો ત્યારે કાંકરિયા બનાવવા માટે પ્રસ્તાવ લવાયો કોંગી નેતાઓ ઉપવાસ પર ઉતરી ગયા હતા. આ તો મોદીને કારણે તમને કાંકરિયા મળ્યું છે. ભાજપના ગાંધીનગર લોકસભાના 37ના કાર્યકર્તાઓ કોરોનામાં લોકોને હોસ્પિટલમાં પહોંચાડતા, સ્મશાન પહોંચાડતા કામ કરતા કરતા જિંદગી ગુમાવી છે. અમિત શાહે અમદાવાદ ખાતે જનસભાને સંબોધિત વખતે કોંગ્રેસને આડે હાથ લીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...