Saturday, February 7, 2026

નવા વાડજના શ્રી ગણેશ એજ્યુકેશન કેમ્પસના સ્પોર્ટસ ડેની કરાયેલી ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ એજ્યુકેશન કેમ્પસના ૧૮માં સ્પોર્ટ્સ-ડે ની ગત તા 24-12-22 ને શનિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પોર્ટસ ડે ની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે એચ. કે. કોલેજ રીટાયર્ડ પ્રિન્સીપાલ શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં કેમ્પસમાં આવેલ તમામ શાળાના તમામ બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજના સૌથી જુના કેમ્પસ એવા શ્રી ગણેશ એજ્યુકેશન કેમ્પસ દ્વારા સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આશરે 750 જેટલા બાળકો અને તેમના વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન એચ. કે. કોલેજ રીટાયર્ડ પ્રિન્સીપાલ શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં આવેલ તમામ શાળાના તમામ બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોઈ પણ રાષ્ટ્રીય કક્ષાનાસ્પોર્ટ્સ ફેસ્ટીવલનું જે રીતે ઉદ્ઘાટન કરવામાં આવે છે, તે જ રીતે અત્રે પણ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વિવિધ ટીમો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ, સ્પોર્ટ્સ ફ્લેમ, સ્પોર્ટ્સ ઓથ, વગેરેની જે રીતે રજુઆત કરવામાં આવી હતી, જેને લઈને સૌ આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

શ્રી ગણેશ કેમ્પસમાં યોજાયેલ સ્પોર્ટ્સ ડે ની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેનાર બાળકોને સંબોધતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી સુભાષ બ્રહ્મભટ્ટએ જણાવેલ કે સ્વસ્થ શરીર અને સ્પોર્ટ્સ એ બાળકો માટે અવિભાજ્ય છે. પ્રત્યેક બાળકે સારા નાગરિક બનવા માટે શિસ્ત, સમૂહજીવન અને પદ્ધતિસરની મહેનત જેવા ગુણો વિકસાવવા સ્પોર્ટ્સમાં સક્રિય ભાગ લેવો જ જોઈએ તથા શાળામાં સર્જાયેલ વાતાવરણ “મીની ઓલમપીયાર્ડ કન્ટ્રી” જેવી અનુભૂતિ કરાવતું હતું તેવું જણાવ્યું હતું.

આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાના નાના ભૂલકાંઓ દ્વારા માનવ પીરામીડ, યોગા, લેઝીમ, સાડી ડ્રિલ, એરોબીક્સ વગેરે જેવા હેરતઅંગેજ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા જેને જોઈ સહુ ચકિત થઈ ગયા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનનો શ્રેય ટ્રસ્ટીશ્રી સૌરભ પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર જસ્મીના પટેલને જાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...