Saturday, February 7, 2026

એક TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનની વ્યથા, “ખાલી ખિસ્સે સચવાય છે માનવીથી ભરેલા રસ્તા’’

spot_img
Share

(માનવ જોશી દ્વારા) અમદાવાદ : સમાજના વિવિધ વર્ગોમાં પોતાની સેવા આપનાર દરેક કામદાર પોતપોતાની રીતે ફરજ બજાવી આર્થિક ઉપાર્જન કરતો હોય છે. આવો જ એક વગોવાઇ ગયેલો વર્ગ એટલે ટ્રાફિક પોલીસ. એમની વાત આવે એટલે મગજમાં એક જ ચિત્ર સમાજે ઊભું કર્યું છે, કે ’આ લોકો પૈસા ખાવા જ સર્જાયા છે’. આંખોમાં આદર રાખી ભીતર આપણે એમને ભાંડતા, તેમનાથી બચતાં નીકળી જવાની તકેદારી રાખીએ છીએ.

મિર્ચી ન્યુઝના પ્રતિનિધીને આવા જ એક TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનના ગ્રુપ સાથે વિગતે એમની કેફિયત જાણવાનો મોકો મળ્યો. ફોટો ન પાડવાની અને પોતાનું નામ ના લેવાય એ શરતે એમણે ખુલીને પોતાની વેદના રજૂ કરી હતી. ટ્રાફિક બ્રિગેડ જવાનોના કહેવા મુજબ એમનો માસિક પગાર રજાઓ કાપતાં, અને હાજર રહેલ દિવસોને આધારે 8100/- ની આસપાસ થાય છે અને આટલી મોંઘવારીમાં આટલા પગારમાં ઘર ચલાવવાનું કેવી રીતે શક્ય બને એ તો પરમાત્મા જ જાણે..પણ દાઝયા પર ડામ એ છે કે પગાર દોઢ દોઢ મહિના સુધી ખેંચાઈ જાય છે..પોતાનો હકનો પગાર પણ જો કોઈ વર્કરને ના મળે, એ કેવી રીતે પોતાનું જીવન ગુજરાન ચલાવે!! કેવી રીતે બાળકોની ફી ભરે અને ક્યાંથી ઘરના ઘરડાઓની દવા લાવે?? જવાનોના કહેવા મુજબ મેટ્રોના કામના લીધે એમના સ્વાસ્થ્ય પર ખૂબ માઠી અસર પડી છે અને એ ઓછું હોય તેમ વાહનોનું પ્રદૂષણ શરીરને અત્યંત હાની પહોંચાડે છે.છતાં આ અમારું કામ છે અને અમારે કરવાનું છે. પણ કામનું યોગ્ય વળતર તો હોય!!! અને એ પણ સમયની શિસ્ત જળવાઈને અમને મળે.

જ્યારે ઘરમાં ભૂખ્યા બાળકો હોય ત્યારે પગારના અભાવે અમારા અમુક જવાનો ભ્રષ્ટાચારને રવાડે ચઢી જાય તે સ્વાભાવિક છે. મોટા ભાગના નાગરિકો વાંકમાં હોય છતાં પણ અમારી સાથે અભદ્ર વર્તન કરે અને અમારા વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને તેનાથી અમારી ઈમેજ આખા સમાજમાં બગડે છે. કોઈને અમારી સમસ્યા સાંભળવામાં રસ નથી. અમે જાહેરમાં કંઈ બોલીએ તો અમારી નોકરી જતી રહે છે. રોજે રોજના ફંડ ભેગા કરવા માટે અમને ટાર્ગેટ આપવામાં આવે છે. આદેશ થાય ઉપરથી અને તેનું દુષ્પરિણામ અમારે માથે હોય છે. કોઈ ભૂલથી સાહેબ કહી દે તો એમ થાય કે ચાલો આટલો આદર થાય તો પણ આ કાર્ય ઉત્તમ છે. અમારી બસ એક જ રજૂઆત છે કે અમને યોગ્ય વળતર મળે અને તે પણ સમયસર મળે. આટલું કહેતા જવાનની આંખ ભીની જણાતા અમારા પ્રતિનિધી તેમના માટે ચા મંગાવે છે અને બધા જવાનો ચા ની ગરમ ચૂસકી લેતા લેતા પોતાના ઠંડા ભવિષ્યનો આત્મસાક્ષાતકાર કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...