Friday, May 15, 2026

ઘાટલોડીયા પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે લોકદરબાર યોજ્યો, લોકો સાથે સીધો સંવાદ કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગરીબ અને લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાવી ઉંચાદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે.તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે.જેના અંતર્ગત બુધવારે સાંજે ઘાટલોડીયા પારસનગર ખાતે ઘાટલોડીયા પોલીસે લોકદરબાર યોજ્યો હતો.

અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પારસનગર શાકમાર્કેટ ખાતે ઝોન-1 લવીના સિન્હા (IPS) ની અધ્યક્ષતામાં વ્યાજખોરો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનું ધીરાણ કરવાની પ્રવુતિ અટકાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ લોકદરબારમાં શાકભાજી, પાથરણાવાળા સહીત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો જો હેરાન કરતા હોય અથવા ઉચું વ્યાજ વસુલતા હોય તેની માહિતી પોલીસને આપવા અપીલ કરાઈ હતી અને આવા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ-2011 રજીસ્ટ્રેશન | નોંધણી કરાવ્યા વિનાનાં વ્યક્તિઓ
1) નાણાં ધીરનારનો અને વ્યાજવટાવનો ધંધો કરી શકશે નહિં…
2) નાણાં ધીરનાર વ્યક્તિઓ સરકારે નિયત કરેલ વ્યાજદરથી વધુ વ્યાજદર વસૂલી શકશે નહિ. જો કોઈ આવું કૃત્ય કરશે ગંભીર સજાને પાત્ર થશે…
3) ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જણાવવામાં આવે છે કે, આપના વિસ્તારમાં આવી ગેરકાયદેસરની નાણાં ધિરનારની પ્રવૃત્તિ ચાલતી હોય તો ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...