Thursday, November 13, 2025

ઘાટલોડીયા પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે લોકદરબાર યોજ્યો, લોકો સાથે સીધો સંવાદ કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગરીબ અને લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાવી ઉંચાદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે.તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે.જેના અંતર્ગત બુધવારે સાંજે ઘાટલોડીયા પારસનગર ખાતે ઘાટલોડીયા પોલીસે લોકદરબાર યોજ્યો હતો.

અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પારસનગર શાકમાર્કેટ ખાતે ઝોન-1 લવીના સિન્હા (IPS) ની અધ્યક્ષતામાં વ્યાજખોરો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનું ધીરાણ કરવાની પ્રવુતિ અટકાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ લોકદરબારમાં શાકભાજી, પાથરણાવાળા સહીત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો જો હેરાન કરતા હોય અથવા ઉચું વ્યાજ વસુલતા હોય તેની માહિતી પોલીસને આપવા અપીલ કરાઈ હતી અને આવા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ-2011 રજીસ્ટ્રેશન | નોંધણી કરાવ્યા વિનાનાં વ્યક્તિઓ
1) નાણાં ધીરનારનો અને વ્યાજવટાવનો ધંધો કરી શકશે નહિં…
2) નાણાં ધીરનાર વ્યક્તિઓ સરકારે નિયત કરેલ વ્યાજદરથી વધુ વ્યાજદર વસૂલી શકશે નહિ. જો કોઈ આવું કૃત્ય કરશે ગંભીર સજાને પાત્ર થશે…
3) ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જણાવવામાં આવે છે કે, આપના વિસ્તારમાં આવી ગેરકાયદેસરની નાણાં ધિરનારની પ્રવૃત્તિ ચાલતી હોય તો ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...