Thursday, September 18, 2025

સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થનારી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શું છે ખાસિયતો, જાણો ?

Share

Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્ન્ટ ખાતે સી પ્લેન અને અટલબ્રિજ બાદ વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું નવું નજરાણું ટૂંક સમયમાં ઉમેરાવા માટે જઈ રહ્યું છે. ત્યારે લોકો હવે રિવરફન્ટ ખાતે નદીમાં તરતી ક્રૂઝમાં જમવાનો આનંદ માણી શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી રહી છે. આગામી એપ્રિલ પ્રાપ્ત રિપોર્ટ મુજબ મહિનાના અંતમાં આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકો ફરવાના સ્થળની સાથે હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ રિવરફ્રન્ટ પર માણી શકાશે.

રિવરફ્રન્ટ પર શરૂ થનારી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શું છે ખાસિયતો ?

બે માળની હશે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે હશે ઓપન સ્પેસ
ક્રૂઝમાં એક સાથે 150 લોકો થઈ શકશે સવાર
ક્રૂઝમાં મનોરંજનની પણ સુવિધા મળી રહેશે
લાઈવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફિસની મીટિંગ થઈ શકે એવું આયોજન કરાયુ છે
સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે
સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે
અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ
અક્ષર ટ્રાવેલ્સ કોર્પોરેશનને વર્ષે રુપિયા 45 લાખ આપશે
ક્રૂઝની ટિકિટ અંગેનો નિર્ણય અક્ષર ટ્રાવેલ્સ કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...